1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાર સાથેનું ભણતર, હવે ધો. 1થી 10ના વિદ્યાર્થીઓને વધારાના 27 સાહિત્ય પણ ભણાવવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં નવા શિક્ષણ સત્રથી ધો.1થી 10માં વિદ્યાર્થીઓએ પાઠ્ય પુસ્તકો ઉપરાંત જુદા જુદા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય પણ ભણવું પડશે. આ જુદા જુદા 27 પ્રકારનું સાહિત્યથી  વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર વધશે. આ સાહિત્યમાં લેખનપોથી, ચિત્રપોથી, વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ, એકમ કસોટી, નોટબુકથી લઈને શૈક્ષણિક કેલેન્ડર, શાળા સિદ્ધિ મોડ્યુલ, સ્કૂલ સેફ્ટી મોડ્યુલ, સંસ્કૃતિ પોકેટ ડાયરી વગેરેનો સમાવેશ થાય […]

ભાવનગર રેલવે ડિવિઝને એક વર્ષમાં ટિકિટ ચેકિંગ દરમિયાન રૂપિયા 5.30 કરોડનો દંડ વસુલ્યો

ભાવનગરઃ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને  ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન એક વર્ષમાં વગર ટિકિટએ પ્રવાસ કરનારા પાસેથી 5.30 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂકે અહેમદે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24માં ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતા […]

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં પોણા બે લાખ મણ ઘઉં અને એક લાખ મણ ચણાની આવક,

રાજકોટઃ શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા સહિતના રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ 1લી એપ્રિલથી  વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે પણ બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં શુક્રવારે માત્ર ઘઉંની જ પોણા બે […]

રાજકોટમાં દસ્તાવેજ નોંધણી કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશબંધી સામે વકિલોએ કર્યો વિરોધ

રાજકોટઃ રાજ્યમાં નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરીઓ  દ્વારા  દસ્તાવેજ સમયે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સામે પ્રતિબંધ ફરમાવતા પરિપત્ર સામે વિરોધ ઊભો થયો છે. દસ્તાવેજ કરતી વખતે લખી આપનાર, લખાવી લેનાર અને માત્ર સાક્ષી સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સામાન્ય રીતે દસ્તાવેજ કરતી વખતે વકીલો અરજદારો સાથે હોય છે. […]

સુરતમાં ડમ્પરે રાહદારીને કચડીને સ્કુટરને અડફેટે લીધું, ડમ્પર ચાલકને પોલીસ હવાલે કરાયો

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વરાછા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે ડમ્પરે એક રાહદારીને કચડીને એક સ્કુટરચાલકને પણ અડફેટે લીધો હતો. અકસ્માતને બનાવને લીધે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. અને અને અકસ્માત બાદ નાસી રહેલા ડમ્પરચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા […]

અમદાવાદ-નવી દિલ્હી સૂવર્ણ જ્યંતિ રાજધાની એક્સપ્રેસ હવે કાળુપુર નહીં સાબરમતીથી દોડશે

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. કાળુપુર રેલવે સ્ટેશનને  વિશ્વ સ્તરીય સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આથી કેટલીક ટ્રેનોના પ્રસ્થાન અને આગમન સાબરમતી અને ગાંધીનગરથી થશે. જેમાં તા.7મીને રવિવારથી અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણજયંતિ રાજધાની એક્સપ્રેસ કાળુપુર રેલવે સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે અને સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ […]

રૂપાલાના મુદ્દે ક્ષત્રિય સમાજની લડતને રાજવી પરિવારોએ આપ્યો ટેકો, આજે કોર કમિટીની બેઠક

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં વિવાદાસ્પદ કરેલા ઉચ્ચારણો બાદ વિરોધ થતાં તેમણે બેવાર માફી પણ માગી છે. છતાયે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ ઠંડો પડતો નથી. અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજે માગ કરી છે. દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી રહી છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી […]

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તાપમાન વધશે નહીં, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેના કારણે આગામી સપ્તાહમાં વાતાવરણ વાદળછાંયુ રહેવાને લીધે તાપમાનમાં વધારો થવાની શક્યતા નથી. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદના છાંટણા પણ પડી શકે છે. એક સપ્તાહ બાદ એટલે કે 15મી એપ્રિલથી તાપમાનમાં વધારો થશે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનને પારો 43 ડિગ્રીએ પહોંચી જશે, એવું હવામાન વિભાગના સૂત્રોએ […]

કચ્છના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં મળેલી 500 કબરો કોની છે, કોણ હતા આ લોકો?

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરોવાળા એક સામુહિક કબ્રસ્તાનની જાણકારી મળી હતી. આ ખોદકામ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. ત્યારે આ સવાલ હતો કે આ કબરો કોની છે?શું તે આસપાસની કોઈ મોટી માનવ વસાહતનું કબ્રસ્તાન હતું અથવા કંઈક બીજું?  પુરાતાત્વિક ટીમ સતત […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 2,9ની તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો, ભચાઉથી 14 કિમી દુર કેન્દ્ર બિન્દુ

ભૂજઃ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે.  ત્યારે ગુરુવારની મધરાત બાદ 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, ત્યારબાદ શુક્રવારે સવારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએ પણ ભૂકંપના હળવા આંચકાની નોંધ લીધી હતી. કચ્છમાં સમયાંતરે ભૂકંપના આચકાઓ અનુભવાતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code