1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ એટલે કે એમઆઈઆરવી તકનીક સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પહેલા ઉડાણ પરીક્ષણ, મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું […]

સુરતમાં એનઆરઆઈ બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, 3 વ્યક્તિને મળશે નવુજીવન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ સુરેશ મોતીલાલ પટેલને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને ત્રણેક વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. અમેરિકામાં વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા સુરેશભાઈ પટેલ થોડા સમય પહેલા જ પરિવાર સાથે મૂળવતન બારડોલીના બાબેન ગામ આવ્યાં હતા. એનઆરઆઈ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરનાર સુરેશભાઈ પટેલે અગાઉ પોતાના અંગોના દાનની પરિવારજનો સમક્ષ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપાએ 6 સહ-પ્રભારીના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર પુનઃ જીતના લક્ષ્યાંક સાથે ભાજપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ ભાજપામાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન રાજ્યની લોકસભાની 26 પૈકી 16 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે અન્ય ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેરા કરવામાં આવે તેવી શકયતા છે. […]

લોકસભા ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને મહેશ પટેલ કાર્યકરો સાથે ભાજપામાં જોડાયાં

અમદાવાદઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને તેમના સમર્થકો ભાજપામાં જોડાયાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહેશ પટેલ અને મહેશ વસાવાને […]

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા […]

MP:ભોજશાળા મસ્જિદ છે કે મંદિર? જ્ઞાનવાપીની જેમ એએસઆઈ સર્વેને હાઈકોર્ટે આપી મંજૂરી

ઈન્દૌર: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર બેંચે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને મંજૂરી આપી છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને 6 સપ્તાહમાં સર્વે કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટે હિંદુ ટ્રસ્ટની અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને આદેશને સુરક્ષિત રાખ્યો હતો. ભોજશાળા એએસઆઈ સંરક્ષિત સ્મારક છે. જેમાં માતા સરસ્વતીનું મંદિર હોવાનો હિંદુઓ દાવો કરી […]

Lok Sabha Elections 2024: બે દિવસમાં ભાજપને બે આંચકા, હવે ચુરુના સાંસદ રાહુલ કસ્વાં જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હી: રાજસ્થાનના ચુરુથી લોકસભાના સાંસદ રાહુલ કસ્વાં સોમવારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાન પર તેમણે પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. ખડગેએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પણ હાજર હતા. આ બે દિવસમાં ભાજપને બીજો આંચકો છે. આ પહેલા તેના […]

રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ

ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની […]

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અમદાવાદઃ ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે લીધી હતી. ગાંધીનગર અને અમદાવાદની બે દિવસની મુલાકાતે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનએ આજે અક્ષરધામ મંદિર ખાતે આવ્યા હતા.  અક્ષરધામ મંદિરના પૂજ્ય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમનું સ્વાગત કર્યું હતું. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે તેમનું સ્વાગત મનીષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code