
લીલા અંજીર ખાવાથી નબળાઈ થાય છે દૂર ,જાણો તેના સેવનના બીજા ઘણા ફાયદાઓ
- લીલા અંજીર ખાવાથી શરીર મજબૂર બને છે
- કફ,પિત્તની સમસ્યામાં અંજીર ગુણકારી
અંજીર ડ્રાય ફૂટમાં તો સૌ કોઈનું પ્રિય છે પરંતુ આ અંજીર લીલા હોય છે ત્યારે તેના ફાયદા પણ ઘણા હોય છે ,લીલા અંજીર મોટા પ્રમાણમાં પોષ્ટિક આહાર ગણાય હોય છે. લીલા અંજીરના સેવનથી કબજિયાત દૂર કરે છે. લીલા અંજી ના રસમાં રહેલું લોહ સુપાચ્ય હોવાથી શરીરમાં સંપૂર્ણપણે તે પચી જાય છે. આ સાથે જ તે આપણી પાચન શક્તિને પણ વધુ મજબૂત બનાવે છે.
લીલા અંજીર શક્તિવર્ધક
અંજીરના ગુણોની વાત કરીએ તો અંજીર ઠંડુ, મધુર, પિત્તવિકાર, લોહી વિકાર અને વાયુ વિકારનો નાશ કરનારા ફળોમાં એક ગણાય છે. અને તે શક્તિવર્ધક છે જેથી શરીરની નબળાઈને દૂર કરે છે.
પોષક તત્વથી ભરપુર
લીલા અંજીરમાં અનેક પ્રકારના પોશક તત્વો સમાયેલા હોય છે, તેમાં પાણીનું પ્રમાણ 80.8 ટકા હોય છે જદ્યારે ચરબીનું પ્રમાણ નહી વત 0.2 ટકા જ જોવા મળે છે, તો પ્રોટીન 3.5 ટકા અને કેલ્સિયમ 0.06 ટકા હોય છે જે આપણા શરીરને પુરુ પોષણ પુરુપ પાડે છે.
સુકા અંજીરને પલાળીને ખાવા
ખાસ કરીને લીલા અંજીર નો રસ કાઢી શકાય અથવા તેમને ચાવીને પણ ખાય શકાય. લીલા અંજીર ને સલાડ તરીકે પણ લઈ શકાય છે.લીલા અંજીર ઉપલબ્ધ ના હોય તો સૂકા અંજીર પણ ખાઈ શકાય છે. સૂકા અંજીર ને રાત્રે પલાળી રાખવા અને તે સુંવાળા અને નરમ થાય અને રે અંજીર પાણીમાં ફૂલી જાય ત્યારે તેને ખાવાથી તેનો ફાયદો બેગણો થાય છે
લીલા અંજીર આતરડા સાફ કરે છે
લીલા અંજીરના સેવનથી પેશાબની સમસ્યા દૂર થાય છે.લીલા અંજીર આપના આંતરડા પણ મજબૂત બનાવે છે.લીલા અંજીર શારીરિક નબળાઈ પણ દૂર કરે છે.જો આપણને સૂકી ખાંસી કે કફ થયો હોય તો તેમાં લીલા અને સૂકા અંજીરનું સેવન કરવાથી ફાયદો થાય છે.