ગાંધીનગર, 9 જૂન, 2026: Kankaria Lake has become a hot favorite for tourists શહેરના મણિનગર વિસ્તારમાં (દક્ષિણ ભાગ) આવેલું કાંકરિયા લેકફ્રન્ટ શહેરના સૌથી અગ્રણી પ્રવાસન આકર્ષણોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કાંકરિયાનું તળાવ એક સમયે તેના સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું હતું, અને આજે તે એક આધુનિક પ્રવાસન અને મનોરંજન સ્થળ તરીકે વિકસિત થયું છે, જે દર વર્ષે ગુજરાત, ભારત અને વિદેશમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષિત કરે છે. કાંકરિયા લેકફ્રન્ટ આવાનારા મુલાકાતીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો આ સ્થળની લોકપ્રિયતાને સ્પષ્ટપણે દર્શાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા અનુસાર, 27 એપ્રિલથી 3 જૂન, 2026 સુધીમાં કુલ 6,72,785 મુલાકાતીઓએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.
કાંકરિયા લેકફ્રન્ટનું 2008માં સંપૂર્ણ રિડેવલપમેન્ટ કરીને તેને એક વિશ્વ-સ્તરીય જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર 2008ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં આધુનિક સુવિધાઓ તેમજ વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજનના આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો, જેના પરિણામે કાંકરિયા લેકફ્રન્ટ રાજ્યના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન પામ્યું છે.
કાંકરિયા લેકફ્રન્ટની સફળતા એ દર્શાવે છે કે, પ્રવાસન ક્ષેત્રે માળખાગત વિકાસમાં કરવામાં આવેલા વ્યૂહાત્મક રોકાણો કેવી રીતે શહેરી વિસ્તારોને આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં પરિવર્તિત કરી શકે છે. પ્રવાસીઓને આકર્ષીને, સાંસ્કૃતિક સહભાગિતાને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકોનું સર્જન કરીને કાંકરિયા લેકફ્રન્ટે પ્રવાસન આધારિત વિકાસના વ્યાપક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે શહેરને નોંધપાત્ર આર્થિક લાભ થયો છે. શહેરમાં હૉસ્પિટાલિટી, ખાણી-પીણી અને રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો છે અને રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. ગુજરાતની આ સિદ્ધિઓ આગામી VGRC સેન્ટ્રલ ગુજરાતના ઉદ્દેશો સાથે સુસંગત છે, જ્યાં પ્રવાસન અને સંસ્કૃતિ દ્વારા ટકાઉ પ્રાદેશિક વિકાસની સંભાવનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

