પાટનગર ગાંધીનગરનો ઈતિહાસ, જે શહેરની સ્થાપના વર્ષ 1965માં કરવામાં આવી
જુના મુંબઇ રાજયનું વિભાજન થતાં તા.1-5-1960થી ગુજરાત રાજયની અલગ રચના કરવામાં આવી. ગુજરાત રાજયની અલગ રચના થતાં રાજયનું પાટનગર અમદાવાદ મુકામે રાખવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની વસતિની ગીચતા ઓછી કરવા અમદાવાદથી 24 કિ.મી. ઉત્તરે સાબરમતી નદીના કિનારે ગુજરાત રાજયનું નવું પાટનગર ગાંધીનગર કરવામાં આવ્યું. ગાંધીનગર શહેરની સ્થાપના તા.2-9-1965ના રોજ કરવામાં આવી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કાયમી […]


