Site icon Revoi.in

મિશન વર્લ્ડ કપ: બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના 15 સદસ્યોના નામનું કરાયું એલાન

Social Share

નવી દિલ્હી: આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈ સિલેક્શન કમિટીની બેઠકમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સામેલ થયા હતા.


બીસીસીઆઈની સિલેક્શન કમિટીની બેઠક બાદ ટીમ ઈન્ડિયાના 15 સદસ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં વિરાટ કોહલી કેપ્ટન, વાઈસ કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન, કે. એલ. રાહુલ, વિજય શંકર, વિકેટકીપર એમ. એસ. ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીના નામનું એલાન કરવામાં આવ્યું છે.