T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રિઝર્વ ડે રખાયો

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. જો ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદ પડે […]

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે  દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે. ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી […]

ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, હોળી-ધૂળેટી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ  ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં ક્રમશ- વધારો થઈ રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ ફાગણ મહિનાના પ્રથમ સપ્તાહમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ત્યારબાદ તાપમાન સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ માર્ચના અંત સુધીમાં એટલે કે હોળી અને ધૂળેટી બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જ્યારે હવામાનની આગાહી કરનારા […]

અમદાવાદમાં નિકોલ રોડ પર મંદિરનો શેડ તોડતા મ્યુનિ.સામે સ્થાનિક લોકોએ કર્યો વિરોધ,

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર થતાં દબોણને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પરના દબાણો દુર કરવામાં આવતા હોય છે. જેમાં રોડ પર ધાર્મિક સ્થળો પર કરાતા દબાણોને દુર કરવામાં તંત્રને લોકોનો વિરોધ સહન કરવો પડતો હોય છે, શહેરમાં વિરાટનગર વોર્ડમાં નિકોલ રોડ પર આવેલા મંદિરનો શેડ નડતરરૂપ હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવો અને પ.બંગાળના ડીજીપીને હટાવાયાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ગૃહ સચિવોની બદલીના આદેશ કરાયાં છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય. પ્રશાસનિક વિભાગના સચિવોને હટાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code