1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

રાહુલ ગાંધીના નિવેદન પર કિરેન રિજીજુનો કટાક્ષ, કોંગ્રેસ મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિજીજુએ આ પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, આ કોંગ્રેસ પાર્ટી તરફથી સકારાત્મક સંદેશ લાગી રહ્યો છે. રાહુલ ગાંધીની મહિલાઓ પ્રત્યેની વિચારસરણીમાં સ્પષ્ટ બદલાવ દેખાઈ રહ્યો […]

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું આંદોલન CJP જેવુ અસરકારક નહીં હોવાનું શશી થરુરે સ્વિકાર્યું

મુંબઈ, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે, કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા વિદ્યાર્થી સંપર્ક અભિયાન ‘છાત્રો કી ગૂંજ’ ને તેટલુ જનસમર્થન કે પ્રભાવ ન મળ્યો, જેટલો ‘કોકરેચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રદર્શનને મળ્યો છે. તેમણે કહ્યું કે આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે યુવા પેઢી (જેન ઝી)ને સમજવામાં […]

સંસદની કાર્યવાહીમાં અવરોધ અંગે PM મોદીની ચિંતા: નવા સાંસદોને બોલવાની તક ન મળવી એ અન્યાય સમાન

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી વારંવાર અવરોધાવવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં NCP (અજીત પવાર જૂથ), શિવસેના અને અન્ય સહયોગી પક્ષોના સાંસદો સાથે થયેલી બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સંસદમાં સતત થતા હોબાળા અને કાર્યવાહી અટકવાને કારણે નવા સાંસદો પોતાની વાત રજૂ કરી […]

પ્રશાંત કિશોર અને સુનેત્રા પવાર વચ્ચે છ કલાક સુધી વાતચીત! રાજકીય અટકળોનું બજાર ગરમ

મુંબઈ, 7 ઓગસ્ટ, 2026 – બિહારની જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર અને મહારાષ્ટ્રમાં એનસીપીના સુનેત્રા પવાર વચ્ચે છ કલાક સુધી વાતચીત થયા બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થયું છે. બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરની મુંબઈ મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. બુધવારે રાત્રે મુંબઈ પહોંચેલા પ્રશાંત કિશોરે […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે કર્યો સંવાદ

મુંબઈ, 7 ઓગસ્ટ 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તાજેતરમાં મુંબઈ ખાતે જેન-ઝી અને જેન-આલ્ફા (આજના યુવાનો અને વિદ્યાર્થીઓ) સાથે આ લગભગ એક કલાક સુધી ખુલીને સંવાદ કર્યો હતો. આ બેઠક દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા જંતર-મંતર પ્રોટેસ્ટ, લાઠીચાર્જ, પેલેટ ગન, અનામત (આરક્ષણ) અને સેમ સેક્સ મેરેજ જેવા અનેક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ […]

માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો

વડોદરા, 7 ઓગસ્ટ, 2026 – માંજલપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ પક્ષ દ્વારા કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો. વડોદરાના તરસાલી ખાતે ગુરુવારે છ ઓગસ્ટે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે કાર્યકર્તાઓ પર […]

ભાજપાની પ્રશિક્ષક-પ્રશિક્ષણ કાર્યશાળા તથા આયોજન બેઠક કલોલ ખાતે યોજાઈ

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા નિર્માણ અને સતત પ્રશિક્ષણ એ સંગઠનની કાર્યપદ્ધતિનું અભિન્ન અંગ છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર, સંગઠનાત્મક કુશળતા અને જનસંપર્ક ક્ષમતાના વિકાસનું અસરકારક માધ્યમ છેઃ શ્રી રત્નાકરજી કાર્યશાળામાં વિવિધ વિષયો માટે જિલ્લા-મહાનગરના વર્ગો માટે વક્તા તરીકે નિયુક્ત પ્રશિક્ષકોને વિષય આધારિત વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું કલોલ, 5 ઓગસ્ટ, 2026 – […]

PMમોદીએ 37 નવા સાંસદો સાથે કરી બેઠક: સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવા સલાહ

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોતાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટી અને NDAના નવા 37 સાંસદો માટે નાસ્તા પર એક વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાને તમામ નવા સાંસદોને સંસદમાં પોતાની ઉપસ્થિતિ વધારવા, સદનની કાર્યવાહીમાં ઉત્સાહભેર ભાગ લેવા અને જનહિતના કાર્યો માટે સંગઠિત થઈને કામ કરવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું […]

ઈથેનોલ પર અચાનક મહા-સંગ્રામ કેમ? મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી પર પ્રહાર

હેમંત પરમાર દ્વારા ભારતના માર્ગો પર દોડતા વાહનોમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કંઈ રાતોરાત શરૂ થયેલો નવો અખતરો નથી. દેશમાં વર્ષ ૨૦૦૧થી જ ઈથેનોલ બ્લેન્ડિંગ થઈ રહ્યું છે. પરંતુ અચાનક આજે આ ઈથેનોલ સામે આટલી મોટી મોરચેબંધી અને હોબાળો કેમ મચાવવામાં આવી રહ્યો છે? શું ક્યારેય કોઈ ગાડી ઈથેનોલના મિશ્રણને કારણે ખરાબ થઈ હોવાનું સામે […]

માંજલપુર વિધાનભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત બાદ મુખ્ય પ્રવકતા ડૉ.અનિલભાઇ પટેલે શું કહ્યું

ગાંધીનગર, 3 ઓગસ્ટ, 2026 –  વડોદરામાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. વરિષ્ઠ ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે ભાજપના સતિષભાઈ પટેલ જંગી બહુમતીથી વિજેતા થયા હતા. આ પરિણામ બાદ ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે માંજલપુરના મતદારો તેમજ ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code