1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

બીએસપીએ પાર્ટી વિરોધી પ્રવૃતિ બદલ સાંસદ દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ

લખનૌઃ બહુજન સમાજ પાર્ટીએ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોવાનું જાણવા છે. પાર્ટીએ કહ્યું છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી છે. અમરોહાના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં વાંધાજનક ટીપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.   બહુજન સમાજ પાર્ટીએ પોતાની તરફથી જારાયેલા કરાયેલા […]

તેલંગાણામાં કોંગ્રેસ અને ઓવૈસી વચ્ચે સમાધાનની ચર્ચા, અકબરુદ્દીનને મહત્વની જવાબદારી સોંપાઈ

બેંગ્લુરુઃ તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકારે આવતીકાલે (9 ડિસેમ્બર) તેલંગાણા વિધાનસભાની કાર્યવાહી હાથ ધરવા માટે AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે શપથ લેશે. અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદ લોકસભા બેઠક […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]

BJPની સંસદીય દળની બેઠકમાં સાંસદોએ PM મોદીનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બમ્પર જીત પર પાર્ટીના સાંસદોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સાંસદોએ ભાજપના સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠક માટે […]

ત્રણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતનારા ભાજપના 10 સાંસદોએ આપ્યા રાજીનામા

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રી સહિત અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 12 સાંસદોએ જીત નોંધાવી હતી. દરમિયાન 10 સાંસદોએ આજે સંસદીય સભ્યપદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. આગામી દિવસોમાં બે સાંસદો રાજીનામું આપશે. રિપોર્ટ્સ અનુસાર, બે સાંસદો બાલક નાથ અને રેણુકા સિંહે હજુ સુધી તેમના સાંસદ પદ […]

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની જીતઃ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ અનેક જનસભા અને રેલીઓને સંબોધિત કરી હતી. તેમજ તેમના નામે જ પાંચેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ભાજપા દ્વારા લડવામાં આવી હતી. હવે કોંગ્રેસના નેતાઓ પણ સ્વિકારી રહ્યાં છે ત્રણેય રાજ્યોમાં ભાજપની જીત પીએમ મોદી નામે થઈ છે. દરમિયાન […]

સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયની હજુ ભાજપના નેતાઓ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે જેના પરિણામ સ્વરૂપ 3 રાજ્યમાં ભવ્ય વિજયની સાથે તેલંગાણામાં ભાજપની બેઠકમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન આજથી સંસદના શિયાળા સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો […]

ગઢ આલા સિંહ ઘેલાઃ મધ્યપ્રદેશ ચૂંટણીમાં CM શિવરાજના મંત્રીમંડળના 12 મંત્રીઓનો થયો પરાજ્ય

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે તૃતિયાંશ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાની સાથે, ભાજપ તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળ રહી હતી, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળના મંત્રીમંડળના 12 વર્તમાન મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. હારનો સામનો કરનારા અન્ય અગ્રણી પ્રધાનોમાં […]

મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પરાજ્ય

નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહી છે. મિઝોરમમાં એઝપીએમ સરકાર બનાવવા તરફ સતત આગળ વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી જોરામથાંગા અને ડેપ્યુટી સીએમ ત્વાનલુઈયાનો પરાજ્ય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઝેડપીએમના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી […]

મધ્યપ્રદેશમાં હારનું કોંગ્રેસે મનોમંથન શરુ કર્યું,164 હારેલા ઉમેદવારોને પૂછવામાં આવશે કારણ

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજ્ય થયો છે. જ્યારે ભાજપાની ભવ્ય જીત થઈ છે. ભાજપની જીત બાદ નવી સરકારની રચનાને લઈને કવાયત શરુ કરવામાં આવી છે. બીજી તરફ પરાજ્યને લઈને કોંગ્રેસ દ્વારા સમીક્ષા શરુ કરવામાં આવી છે તેમજ પરાજીત થયેલા ધારાસભ્યોને કમલનાથે ભોપાલ બોલાવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મળેલી હારની સમીક્ષામાં જોતરાઈ છે. […]