1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

નવા સંસદભવન અંગે NCP ના નેતા શરદ પવારના વિરોધ વચ્ચે અજિત પવારે વિપક્ષને આપ્યો આંચકો

મુંબઈઃ નવા સંસદભવનની ઈમારતના ઉદઘાટનનો કોંગ્રેસ સહિત 21થી વધારે વિપક્ષી દળોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા અજિત પવારે વિપક્ષને આંચકો આપીને નવા સંસદભવનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ દેશને નવા સંસદ ભવનની જરુર હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. અનેક […]

સરકાર સામાન્ય લોકો પર વધુ ટેક્સ લાદીને ‘નફો કમાણી’ કરી રહી છે: પી.ચિદમ્બરમ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઈંધણ પર વધુ ટેક્સ લાદીને નફો કરી રહી છે. આ સામાન્ય લોકોની કિંમતે કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતો “કૃત્રિમ રીતે” ઊંચી રાખવામાં આવી છે, જે મોંઘવારી વધવાનું એક કારણ છે. ભૂતપૂર્વ […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

કર્ણાટકઃ શિવકુમારે વિધાનસભાના પગથિયા પર માથું ટેકવ્યું, BJP નેતાના ચરણ સ્પર્શ કરી આર્શિવાદ લીધા

બેંગ્લોરઃ કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર તથા મંત્રી મંડળે શપથ ગ્રહણ કર્યાં બાદ આજે 16મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. જેમાં ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યાં હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભા ગ્રુહમાં પ્રવેશ પહેલા માથુ ટેકવ્યું હતું. એટલું જ નહીં ભાજપના એક સિનિયર નેતાની મુલાકાત લઈને પગે પડીને આશિર્વાદ લીધા હતા. […]

કર્ણાટક : સિદ્ધારમૈયા આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે

બેંગ્લોર: કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. સિદ્ધારમૈયાને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે શપથગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે સાડા બાર વાગે કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં ડી.કે. શિવકુમારે સિદ્ધારમૈયાને કોંગ્રેસ વિધાયક […]

કર્ણાટકના નવા CM બનશે સિદ્ધારમૈયા, ડીકી શિવકુમારને DYCMની જવાબદારી સોંપાઈ

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ નવા સીએમની પસંદગીને લઈને ભારે ખેંચતાણ જોવા મળી હતી. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમારના નામ ચર્ચાઈ રહ્યાં હતા. તા. 13મી મેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોકડુ ગુંચવાયું હતું. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિનિયર નેતાઓ વચ્ચે […]

કર્ણાટક કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ, સિદ્ધારમૈયાએ પ્રથમ 2 વર્ષ માટે CM બનાવાની ફોર્મુલા રજુ કરી

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયો હતો. જો કે, હવે મુખ્યમંત્રીને લઈને કોંગ્રેસમાં અંદરખાને ખેંચતાણ ચાલી રહી છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, ડો. જી પરમેશ્વર અને એમબી પાટીલના નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે, આ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ જ લેશે. પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં […]