1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં અસહ્ય ગરમી સામે એએમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદ, 14 એપ્રલ 2026:  શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને આગામી સપ્તાહમાં એટલે કે તા. 14થી 20 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન (AMC) હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જોકે બીજી બાજુ સ્થિતિ એવી છે કે, શહેરમાં અસહ્ય ગરમીમાં પણ મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, બેને ગંભીર ઈજા

વડોદરા, 14 એપ્રલ 2026: One killed in bike-car accident અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. વડોદરા નજીક નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. જ્યારે બાઈક પર સવાર એક […]

એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાન મુદ્દે ચર્ચા થઈ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સતત બગડતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને ઈઝરાયેલના વિદેશ મંત્રી ગિદોન સાર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. મંગળવારે થયેલી આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ઈરાન, લેબનોન અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં સુરક્ષાના પડકારો પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના વિદેશ […]

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને વૃક્ષારોપણ કર્યું

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે આજે નવી દિલ્હીમાં ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો અને એક વૃક્ષ વાવ્યું. મંત્રાલયની આ પહેલ દેશભરમાં પર્યાવરણીય સંરક્ષણ અને જાહેર સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોનો એક ભાગ છે. આ પ્રસંગે બોલતા મેઘવાલે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ સ્વચ્છ […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ પણ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. […]

ઉનાળાનો પ્રકોપ: ગુજરાત સહિત 8 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: એપ્રિલ મહિનો જેમ-જેમ આગળ વધી રહ્યો છે, તેમ-તેમ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3 થી 6° ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં તો અત્યારથી જ […]

મુંબઈઃ લાઈવ કોન્સર્ટ બાદ બે વિદ્યાર્થીઓના મોત, ડ્રગ્સ ઓવરડોઝની આશંકા

મુંબઈ, 14 એપ્રિલ 2026: માયાનગરી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા નેસ્કો સેન્ટરમાં આયોજિત એક હાઈ-પ્રોફાઈલ લાઈવ કોન્સર્ટ પાર્ટી બાદ બે યુવાનોના મોતે ચકચાર મચાવી દીધી છે. 11 એપ્રિલની રાત્રે યોજાયેલી આ પાર્ટીમાં ડ્રગ્સ અને દારૂના બેફામ સેવનને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, કોન્સર્ટ દરમિયાન કેટલાક યુવાનોની તબિયત અચાનક […]

મિડલ ઈસ્ટના જંગમાં હવે ચીનની એન્ટ્રી: શી જિનપિંગે રજૂ કર્યો શાંતિ મંત્રનો 4-પોઈન્ટ ફોર્મ્યુલા

બેજિંગ, 14 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે વકરી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વના શક્તિશાળી નેતા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમવાર સાર્વજનિક નિવેદન આપ્યું છે. યુએઈના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે ચીન રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે પાકિસ્તાન અને તુર્કી […]

સુપ્રીમ કોર્ટે MSP સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે કૃષિ પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ના નિર્ધારણ સંબંધિત અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકાર, વિદેશ વેપાર મહાનિર્દેશાલય અને કૃષિ ખર્ચ અને કિંમતો કમિશનને નોટિસ જારી કરી છે. અરજીમાં MSP નક્કી […]

અમેરિકી-ઈઝરાયેલ હુમલાથી ઈરાનને 270 અબજ ડોલરનું નુકસાન

તેહરાન, 14 એપ્રિલ 2026: ઈરાન સરકારના પ્રવક્તા ફાતેમા મોહાજેરાનીએ એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, અમેરિકી અને ઈઝરાયેલ હુમલાઓને કારણે દેશને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ હુમલાઓથી ઈરાનને અંદાજે 270 અબજ ડોલર (આશરે રૂ. 22.5 લાખ કરોડથી વધુ)નું ભારે નુકસાન થયું હોવાના સંકેત મળ્યા છે. પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code