1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

CRPFનો 85મો સ્થાપના દિવસઃ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ

નવી દિલ્હીઃ આજે 27 જુલાઈ, CRPFનો 85મો સ્થાપના દિવસ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 27 જુલાઈ, 1939 ના રોજ સ્થપાયેલ, CRPF કાયદો અને વ્યવસ્થા જાળવવા, બળવાખોરોનો સામનો કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર છે. તેને 27 જુલાઈ, […]

પ્રધાનમંત્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે તેમનું અતૂટ સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની અવિરત સેવા ખરેખર પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું હતું કે, “તેમના સ્થાપના દિવસના અવસરે @crpfindiaના તમામ કર્મચારીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું અતૂટ સમર્પણ અને અવિરત સેવા ખરેખર પ્રશંસનીય […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો નિષ્ફળ, સેનાનો જવાન શહીદ

શ્રીનગરઃ ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’ (BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતો. જો કે, આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક કેપ્ટન સહિત અન્ય ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો હતો. […]

મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે

નવી દિલ્હીઃ આજકાલના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. બાળકોમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ખરાબ ઊંઘની ગુણવત્તાથી લઈને તણાવ, ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે. આવી […]

છત્તીસગઢના જશપુરમાં હાથીઓનો આતંક, બે ભાઈઓની કચડીને મારી નાખ્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ […]

નીતિ આયોગની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રહ્યાં નહીં હાજર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હાજરી આપી ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ કર્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં કુમારની ગેરહાજરીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ પહેલીવાર નથી જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લઈ […]

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : 26 જિલ્લાના 97 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેનાથી ક્યાંક વરસાદનો કેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉચ્છલમાં 2.5 ઈંચ તો કુકરમુંડામાં સવા ઈંચ, નિઝરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજ્ય પર બે સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે […]

પેરિસ ઓલિમ્પિક્સમાં શૂટીંગમાં ભારત રજૂ કરશે પ્રથમ પડકાર

નવી દિલ્હીઃ પેરીસની સીન નદી પર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઓલમ્પિક 2024 ની શરૂઆત થઇ ચુકી છે. પેરીસ ઓલમ્પિકના પ્રથમ દિવસથી જ ભારતીય ખેલાડીઓ તેમનું દમ બતાવવા માટે મેદાનમાં ઉતરશે. પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવને અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલ ઉદ્ધાટન સમારંભ દ્વારા ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીની તમામ સમર કે વિન્ટર ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમમાં […]

ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન

અમદાવાદઃ ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી, ડૉ. સુદીપકુમાર નંદાનું ગત મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી યુએસમાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા માટે યુએસ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા ડૉ. નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન, ડૉ. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી […]

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code