1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બિહાર:સાસારામમાં કલમ 144 લાગુ,બિહારશરીફમાં કર્ફ્યુ; ગોળીબારમાં એકનું મોત

નાલંદા: બિહારના નાલંદામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના કિસ્સાઓ અટક્યા નથી. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી ગોળીબાર થયો, ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તે જ સમયે, મોડી સાંજે, વહીવટીતંત્રે શહેરી […]

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન,88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ :ભારતીય ક્રિકેટ માટે રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીને 1960માં […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ

નેપાળના રાષ્ટ્રપતિની તબિયત બગડી રામચંદ્ર પૌડેલે પેટમાં દુખાવાની કરી ફરિયાદ કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ દિલ્હી:નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે રાત્રે કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પૌડેલને શનિવારે મોડી રાત્રે […]

સૌરાષ્ટ્ર સાથે પાટણ-વડોદરાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ સહાય પેકેજનો લાભ મળશે

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ […]

બારસામીના ફૂલ પણ સ્વાસ્થ્યને કરે છએ ફાયદો, બસ આ રીતે કરો તેનું સેવન અને અનેક સનમસ્યામાંથી મએળવો છૂકારો

બારમાસીના ફૂલ અને પાંનનો ઉકાળો સ્વાસ્થ્ને કરે ફઆયદો ડાયાબિટીઝથી લઈને અનેક રોગમાં આપે છે રાહત આમ તો આપણે ઘણા એવા ફૂલ જોયા છે જે પોતાની સુંદરતાની સાથે સાથએ સ્વાસ્થ્યની સુંદરતામાં પણ વધારો કરે છે,દરેક ફુલમાં સ્વનાસ્થ્યને સારુ રાખવાનો ગુણ હોય છે, જે રીતે ગુલાબ સ્વાસ્થ્ય માટે સારુ ગણાય છે તેજ રીત મારસામીનું ફૂલ પણ આરોગ્યને […]

ગુડ ફ્રાઈડેની રજામાં બનાવો ફરવા જવાનો પ્લાન,આ રહ્યા ફરવા માટેના બેસ્ટ સ્થળો

વર્ષ 2023નો ગુડ ફ્રાઈડે 7મી એપ્રિલે આવી રહ્યો છે. જો તમે મુસાફરી કરવા માટે લાંબા વીકએન્ડની રાહ જોઈ રહ્યા છો, તો તમે 7મીથી 9મી એપ્રિલની વચ્ચે ટૂંકી સફરનું આયોજન કરી શકો છો. વાસ્તવમાં, 8 એપ્રિલ એ મહિનાનો બીજો શનિવાર એટલે કે રજા છે. શુક્રવારથી રવિવાર સુધી વેકેશન માટે ભારતના આ સ્થળોનો પ્લાન બનાવો. ગુડ ફ્રાઈડેની […]

આ છોડ ઘરમાં લાવશે સમૃદ્ધિ,યોગ્ય દિશામાં લગાવવાથી ફાયદો થશે

દરેક વ્યક્તિ ઘરને અલગ અલગ રીતે સજાવે છે. કેટલાક લોકો તેમના ઘરને સજાવટની વસ્તુઓથી શણગારે છે તો કેટલાક છોડથી. ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી સુંદરતા તો વધે જ છે, પરંતુ વાસ્તુ માન્યતા અનુસાર કેટલાક છોડ ઘરમાં સુખ-શાંતિ પણ લાવે છે. હિબિસ્કસ છોડ તેમાંથી એક છે. ઘરમાં હિબિસ્કસનો છોડ લગાવવાથી આશીર્વાદ મળે છે અને વિશેષ ધનની પણ આવક […]

દેશમાં માર્ચમાં જીએસટી આવક વધીને થઈ 1.60 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત […]

કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને […]

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]