1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

શંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ઈટાલીને મોટા અંતરથી હરાવીને […]

IPL 2024: શશાંક સિંહને T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી

નવી દિલ્હીઃ શશાંક સિંહએ આઈપીએલ 2024માં 42મી મેચમાં પંજાબ કિગ્સમાં જોરદાર બેટીંગ કરી હતી. શશાંક સિંહે આ બેટીંગ ઈડન ગાર્ડન્સમાં કેકેઆર સામે કરી હતી. શશાંકએ 28 બોલમાં 242.86ના સ્ટ્રાઈક રેટથી અણનમ 68 રન ફટકાર્યાં છે. જેમાં 2 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર શશાંકના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. […]

લાલ સમુદ્ર : હુતી બળવાખોરોએ ભારત આવતા જહાજ પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]

કઝાકિસ્તાનમાં SCO સંરક્ષણ મંત્રીઓની બેઠકે ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ને સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ ગિરધર અરમાણે કઝાકિસ્તાનના અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, તમામ SCO સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા. મીટિંગ પછી એક સંયુક્ત સંદેશાવ્યવહાર જારી કરવામાં આવ્યો હતો, જેમાં SCO સંરક્ષણ મંત્રીઓ અન્ય પહેલોની સાથે ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રાચીન ભારતીય ફિલસૂફીમાં રહેલા ‘એક […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

IPL 2024: પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં આંખના પલકારામાં અનેક રેકોર્ડ તૂટ્યા હતાં. આ મેચમાં બંને ટીમો તરફથી સિક્સરનો વરસાદ થયો અને એક નવો રેકોર્ડ સર્જાયો.આ મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. જે T20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ છે. આ સિક્સરમાંથી 24 પંજાબ અને 18 KKR એ ફટકારી હતી. આ મેચે મુંબઈ ઈન્ડિયન્સ-સનરાઈઝર્સ […]

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા. મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ […]

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકામાં કોઈ જનહાનીનાં સમાચાર નથી. પરંતુ મોડી રાતે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રાત્રે 11.06 કલાકે કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી. ભૂકંપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code