1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

દૂધમાં આ 5 વસ્તુ મિલાવીને પીવાથી હાડકા રહેશે મજબૂત

બહારના ખોરાકના લીધે લોકોને નાની ઉંમરમાં બીમારીઓ થાય છે. ઘણી વાર કોશિશ કરવા છતાં પણ આપણે બહારનો ખોરાક બંધ કરી શકતા નથી અને આપણે બીમારીનો શિકાર બનીએ છીએ. દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ દૂધના સેવનના ઘણા ફાયદા છે, જ્યારે આપણે દૂધમાં કેટલીક આયુર્વેદિક દવાઓ મિલાવીએ ત્યારે દૂધ વધુ શક્તિશાળી બને […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]

મહેસાણા, જુનાગઢ સહિત 4 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ચાર બેઠકોના ઉમેદવારોના નામ હજુ જાહેર કરાયા નથી. જેમાં મહેસાણા, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠકોના નામ નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની કોર કમિટીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા […]

ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે  દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતમાં ચૂંટણીને લીધે રોકડની હેરફેર સામે તંત્રની સક્રિયતાથી આંગડિયા સહિત વેપારીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે છેક 7મી મેના રોજ ચૂંટણી યોજાવવાની હોવાથી આચારસંહિતાનો અમલ પણ લાંબો સમય સુધી રહેશે. ચૂંટણીમાં રોકડ નાણાની ફેરાફેરી અટકાવવા ખાસ સ્ક્વોર્ડ બનાવનામાં આવી છે. ત્યારે આંગડિયા પેઢી તેમજ વેપારીઓને વેપાર-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર-ઉદ્યોગોનો નોંધપાત્ર વ્યવહાર આંગડીયા પેઢીઓ મારફત હોય […]

દાંતાના મંડાલી નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત

પાલનપુરઃ જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પર બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગતો […]

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કાર ટ્રકની પાછળ ઘૂંસી જતાં ત્રણના મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત વહેલી પરોઢે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે સર્જાયો હતો. પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માતમાં કુલ ત્રણ યુવકનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતુ. અકસ્માતને પગલે રોડ પરના વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. […]

ધો-12 સાયન્સના 1,37,799 વિદ્યાર્થીઓ ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે 31મી માર્ચે ‘ગુજકેટ’ આપશે,

અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ બાદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યાને ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. અને તેના મેરીટને આધારે વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજ અને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે ગુજકેટની પરીક્ષા આગામી તા. 31મી માર્ચને રવિવારે યોજાશે. ધોરણ-12 સાયન્સ બાદ ડિગ્રી […]

ભાવનગરના અલંગ વિસ્તારમાં સુચિત ટીપી સ્કીમ સામે 17 ગામોના ખેડુતોએ કર્યો વિરોધ,

ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code