1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજ્ય સરકારે માંગ્યો ખૂલાશો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. રોજબરોજ કોઈને કોઈ પ્રશ્ને વિવાગ સર્જાતો રહે છે. ત્યારે તાજેતરમાં પ્રોફેસર અને આસિસટન્ટ પ્રોફેસરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા ભરતી પ્રક્રિયા પુરતી સ્થગિત રાખવા રાજ્ય સરકારે આદેશ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મેથેમેટિક્સ,એજ્યુકેશન અને હિન્દી […]

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 17 દિવસ બાદ બંધ કરાયા, હાલ જળસપાટી 138,06 મીટર

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી  ઉપરવાસના વરસાદ તેમજ એમપીના ઈન્દિરાસાગર અને ઓંમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ડેમ ઓવરફ્લો બનતા નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું તેના લીધે નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમની જળસપાટી 138.06 મીટર પહોંચી છે. અને હવે 17 […]

છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પર ભારજ નદીના બ્રિજને બંધ કરતા વાહનચાલકો પરેશાન

વડોદરાઃ છોટાઉદેપુરથી વડોદરા જતા નેશનલ હાઈવે પરનો બ્રિજ મરામતને લીધે બંધ કરાયો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ભારજ નદી પરના બ્રિજને બંધ કરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાવી જેતપુર પાસે આવેલો ભારજ નદી પરનો આ બ્રીજ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર આવેલો છે. જેને લઈ સ્થાનિકો […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થના ટેકનિકલ કર્મચારીઓનું પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ટેક્નિકલ સ્ટાફ એસોસિએશને ગાંધી જયંતીના દિવસથી આંદોલનના મંડાણ કર્યા છે. ગ્રેડ-પે અને ટ્રાન્સફર અલાઉન્સ સહિતની 11 માંગો સાથે સોમવારે જાહેર રજાના દિવસે અંદાજીત 400 જેટલા કર્મીઓ એકત્રિત થઈ દેખાવો કર્યા હતા.હવે તો 5 ઓક્ટોબરે પે ડાઉનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. ગુજરાતમાં ટેટ-ટાટના ઉમેદવારો,  શિક્ષકો, તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલનો કરી […]

ભાવનગરના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ, રૂપિયા 1142થી 1561ના ભાવ બોલાયા

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચોમાસાના આગમન ટાણે જ સારા વરસાદને લીધે ખરીફ પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જો કે ચામાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે પડેલા ભારે વરસાદને લીધે કપાસ સહિતના પાકને થોડુઘણું નુકશાન પણ થયું હતુ. જિલ્લામાં આ વર્ષે 2,56,600 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયુ હતું. કપાસનો પાક તૈયાર થઈ જતાં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે […]

કાલાવડના માટલી ગામ નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા ત્રણના મોત

જામનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગરના કાલાવડ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. કાલાવડ તાલુકાના માટલી ગામ નજીક ઇક્કો અને ટ્રેકટર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા  કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાય જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં  તાત્કાલિક જામનગર અને કાલાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. […]

મહારાષ્ટ્રના પનવેલ નજીક ટ્રેનમાં અટવાયેલા સૌરાષ્ટ્રના પ્રવાસીઓને આખરે મદદ મળી

રાજકોટઃ મુંબઈના પનવેલ નજીક એક ગુડ્ઝ ટ્રેન ખડી જતાં રેલવે વ્યવહાર અટકી ગયો હતો. જેમાં કોચી-ઓખા ટ્રેનને પણ અધવચાળે રોકી દેવાતા કેરલ પ્રવાસેથી પરત ફરી રહેલા રાજકોટના મારવાડી કોલેજના 80 વિદ્યાર્થીઓ સહિત સૌરાષ્ટ્રના 400 પ્રવાસીઓ 10 કલાક ભૂખ્યા-તરસ્યા અટવાઈ પડયા હતા. દરમિયાન આ બાબતની જાણ થતાં જ વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતને થતાં […]

ભાવનગરના હિલપાર્ક નજીક ભરાયેલા પાણીમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતાં મોત

ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે નદી-નાળાં-તળાવો ભરાયેલા છે. તેથી ઘણા યુવાનો અને બાળકો નાહવા માટે નદી કે તળાવોમાં જતા હોય છે. અને અકસ્માતે ઊંડાં પાણીમાં ડુબી જવાના બનાવો બની રહ્યા છે. રવિવારે જ ચોરવાડ ઉપલેટા અને ખેડાના ગળતેશ્વરની મહિસાગરમાં ડુબી જવાના ત્રણ બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. આ બનાવ તાજો જ છે, […]

જોટાણામાં ધોળા દહાડે થયેલી લૂંટના વિરોધમાં ગામની બજારોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો

મહેસાણાઃ  જિલ્લાના કડી તાલુકાના જોટાણા ગામે ધોળા દહાડે ધાડપાડુઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. અને કોંગ્રેસના નેતાના ઘરમાં ઘૂંસીને પરિવારની મહિલાઓને બંધક બનાવીને લાખો રૂપિયા અને 80 તોલા સોનાની લૂંટ કરીને લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાને એક સપ્તાહ થયું હોવા છતાં પોલીસ લૂંટારાઓને પકડવામાં સફળ થઈ નથી. આ ઘટનાને પગલે ગ્રામજનો રોષે ભરાયાં છે […]

દમણ ફરવા માટે ગયેલા નડિયાદના પરિવારને હોટલના રૂમમાં કરંટ લાગતા પિતા-પૂત્રના મોત

નડિયાદઃ શહેરનો એક પરિવાર દમણ ફરવા માટે ગયો હતો, દરિયાઈ બીચ પર ફરીને  દેવકા બીચ નજીકની એક હોટલ પર રોકાયો હતો, દરમિયાન હોટલના બાથરૂમમાં પિતા તેના 6 વર્ષના પૂત્રને લઈને નાહવા માટે ગયા હતા. જ્યાં વીજ કરંટ લાગતા પિતા-પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવને પગલે પત્ની દાડી જતાં તેને પણ કરંટ લાગતા ઈજાગ્રસ્ત બની […]