1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ચાંદીપુરા વાયરસ : આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદ, 20 જુલાઈ 2026: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 […]

ગુજરાત ગેસે CNG ના ભાવમાં પ્રતિ કિલો રુ.2 નો વધારો કર્યો, નવો ભાવ રુ.85.01 થયો

સુરત, 20 જુલાઈ 2026: સુરતની જનતા માટે મોંઘવારીના મોરચેથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલીયમ પેદાશોના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે રાહત મેળવવા માટે સીએનજી વાહનો તરફ વળેલા મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને હવે ગેસના ભાવવધારાનો સામનો કરવો પડશે. રાજ્યની અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સુરત શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૨ […]

અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ઘાતક ગણાતા ‘ચાંદીપુરા વાયરસ’નો પોઝિટિવ કેસ સામે આવતાં જ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા ચાર વર્ષના માસૂમ બાળકના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વેલન્સ, કૉમ્બિંગ અને દવાના છંટકાવ સહિતના નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ […]

દિલ્હી-દમણ ફ્લાઈટને ખરાબ હવમાનને કારણે અમદાવાદ ડાયવર્ટ કરાઈ

અમદાવાદ, 20 જુલાઈ 2026: દિલ્હીથી દમણ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ 9I-811 સોમવારે સવારે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી)ને કારણે દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહોતી. પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ સોમવારે […]

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં વધુ એક શ્રમિકનું મોત, મૃત્યુઆંક 10 પહોંચ્યો

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલા ભીષણ અને ગોઝારા વિસ્ફોટના કેસમાં એક તરફ કાનૂની શિકંજો કસાતો જઈ રહ્યો છે, તો બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક શ્રમિકના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. સોમવારે (20 જુલાઈ) પોલીસે આ કેસના મુખ્ય આરોપીઓ સહિત ત્રણેય જણાને ઘી […]

વાસદ માસૂમ બાળકી હત્યા કેસમાં પોલીસ અથડામણમાં આરોપી ઠાર મરાયો

આણંદ, 20 જુલાઈ 2026: આણંદ જિલ્લાના વાસદ ખાતે સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારના પિસ્તોલના એન્કાઉન્ટર બાદ હવે કાયદાકીય અને વૈજ્ઞાનિક તપાસની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કાયદાકીય પુરાવા એકત્ર કરવા માટે એફએસએલની ખાસ ટીમે ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમ જ્યારે […]

બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડો ઘૂસતા દહેશત: VIP રોડની સોસાયટીના CCTVમાં કેદ

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ શહેરના અત્યંત પોશ ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં અચાનક એક આદમખોર દીપડો ઘૂસી આવતાં સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ સર્જાયો છે. ઘુમા વીઆઈપી રોડ પર આવેલી ‘શરણદીપ સોસાયટી’માં દીપડાની હિલચાલ સીસીટીવીમાં કેદ થતાં જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. મળતી વિગતો મુજબ, રવિવાર (19 જુલાઈ)ની મોડી રાત્રે સોસાયટી […]

અમદાવાદ: ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત, 15થી વધુ ઘાયલ

અમદાવાદ, 18 જુલાઈ 2026: અમદાવાદના મહમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 15થી વધુ લોકો ઘાયલ થયા છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આજે બપોરે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગાત્રાડ રોડ પર આવેલી ‘મહમૂદપુરા ટેલેન્ટ ફાયરવર્કસ’ ફેક્ટરીમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. ફટાકડાની […]

CBI કોર્ટનો ચુકાદો: બેંક છેતરપિંડી કેસમાં પૂર્વ મેનેજર સહિત બેને ૩ વર્ષની સખત કેદ

અમદાવાદ, 18 જુલાઈ 2026: સીબીઆઈ (CBI) કોર્ટ, અમદાવાદ દ્વારા બે આરોપીઓ અનુક્રમે હિંમતનગરની ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ઇન્ડિયન ઓવરસીઝ બેંક નીરજ કુમાર જૈન અને કેતનકુમાર મોહનલાલ પટેલ (ખાનગી વ્યક્તિ) ને બેંક ફ્રોડના એક કેસમાં અનુક્રમે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2,60,000 તથા રૂ. 1.10 કરોડના દંડની (કુલ રૂ. 1,12,60,000 નો દંડ) સજા ફટકારવામાં આવી છે. […]

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આગામી 6 મહિના ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

અમદાવાદ, 18 જુલાઈ 2026: ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે આગામી ૬ મહિના ભારે કસોટીપૂર્ણ રહેવાના છે. હાઇવે પર નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની ગીચતા ઘટાડવા માટે સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો ફોર-લેન એટલે કે ચાર માર્ગીય રોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ આ જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code