1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ ભરતીઓમાં ઉમેદવારો પાસેથી ચારગણી ફી લેવાની દરખાસ્ત

અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં  જુદા જુદા સંવર્ગની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન અરજીની ફી લેવામાં આવે છે. હવે એએમસીને પણ મોંઘવારી નડી રહી છે. એએમસી દ્વારા ભરતી માટે ઉમેદવારો પાસેથી લેવામાં આવતી અરજી ફીમાં  વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે ભરતી કરવામાં આવે છે તેના કરતા […]

વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપાનો ઉછેર નહીં થાય

અમદાવાદઃ રાજ્યમાં વન વિભાગની નર્સરીઓમાં અને વન વિભાગના વિસ્તારમાં નુકશાનકારક કોનોકાર્પસના રોપા ઉછેર ન કરવા વન વિભાગે આદેશ આપ્યો છે. તેમજ રાજ્યમાં ખાનગી ધોરણે પણ કોનોકાર્પસના વાવેતર ઉછેર પર પ્રતિબંધ લગાવવા માટે પણ વન વિભાગે દરખાસ્ત તૈયાર કરી છે. વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ થી પર્યાવરણ અને માનવજીવન ઉપર નકરાત્મક અસરો ગેરફાયદાઓને લઈને નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય […]

નડિયાદઃ તહેવારો પૂર્વે 1462 કિલો ભેળસેળિવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલા એક એકમમાંથી અંદાજે રૂા. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય […]

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન

અમદાવાદઃ રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દસ દિવસ સુધી બાપાની સેવા-પૂજા કર્યા બાદ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક માહોલમાં ગણેશજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં ગણેશજીની મુર્તિના વિસર્જન માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યાં હતા. તેમજ રાજ્યભરમાં સુરક્ષાને લઈને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જનને લઈને […]

દ્વારકાઃ ઓખા નજીકથી શંકાસ્પદ બોટ ઝડપાઈ,3 ઈરાની નાગરિકો અને એક ભારતીયની ધરપકડ

દ્વારકા: ગુજરાતના દ્વારકા નજીક ઓખામાં એક શંકાસ્પદ બોટ ઝડપાયા બાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દ્વારકા પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા 3 ઈરાની અને 1 ભારતીય નાગરિકની અટકાયત કરી છે. તેમજ જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો હતો. પોલીસે બોટમાં મુસાફરી કરી રહેલા ભારતીય નાગરિકના ભાઈની પણ ધરપકડ […]

અંગદાતા પરિવારએ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિઃ મોહનજી ભાગવત

ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે  આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. તેમજ ૬૩ ડોનર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થાનાં અધ્યક્ષ નીલેશભાઈ માંડલેવાલા જણાવ્યું હતું […]

વડોદરાના બીલ ગામે પ્રાથમિક શાળામાં રાત્રે મગરને જોતા ગ્રામજનોએ રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો

વડોદરાઃ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગમે ત્યારે લટાર મારતા મગરો જોવા મળતો હાય છે. મંગવારની રાત્રે શહેર નજીક આવેલા બીલ ગામની પ્રાથમિક શાળાના ઓટલા ઉપર 8 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામજનોની નજર સ્કૂલમાં ધસી આવેલા મગર ઉપર પડતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ અંગેની જાણ જીવદયા સંસ્થાને કરવામાં આવતા તુરંત […]

અમદાવાદમાં 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માટે પડાપડી

અમદાવાદઃ દેશમાં આગામી 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ મેચનો  પ્રારંભ થશે, અને એમાં 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો જામશે. ક્રિકેટના મહાકુંભમાં પ્રખર પ્રતિસ્પર્ધી એવા ભારત-પાકિસ્તાન ટકરાય ત્યારે તો માહોલ કંઇક ઓર જામતો હોય છે. ખેલાડીઓ તો પ્રેશરમાં હોય છે, પણ સાથે સાથે દર્શકો પણ એક અલગ જ પ્રકારના પ્રેશરનો અનુભવ કરતા […]

અમદાવાદમાં ડ્રગ્સના વધતા જતાં દૂષણ સામે ક્રાઈમ બ્રાન્ચે અલગ નાર્કોટિક્સ સેલ કાર્યરત કર્યો

અમદાવાદ: શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે શહેરમાં અન્ય ગુનાઓની જેમ ડ્રગ્સનું દૂષણ પણ વધતું જાય છે. છેલ્લા કેટલાક સમયથી યુવાધન ડ્ર્ગ્સના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. યુવાધનને બરબાદીના પંથે જતું અટકાવવા માટે તેમજ ડ્રગ્સની બદી દૂર કરવા માટે શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. […]

અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન, કાલે ઈદે મિલાદનું જુલુસ, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ગુજરાતમાં આજે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણેશ વિસર્જન માટે ભાવિકો દ્વારા ઠેર ઠેર ઢોલ-નગારા સાથે નદી-તળાવો પર જઈને બાપાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. અમદાવાદ શહેરમાં પણ ભાવિકો ગણેશજીનું વિસર્જન કરશે. ગણેશોત્સવમાં ગણેશ ભક્તો ઘરે ઘરે, સોસાયટીમાં, મહોલ્લામાં વિઘ્નહર્તાની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. ત્યારબાદ પૂજા-અર્ચના કર્યા બાદ એક, ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયાર […]