1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

‘વિકાસનો વિચાર’ મહત્વપૂર્ણ, તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, […]

અમદાવાદના S G હાઇવે પર બેફામ ઝડપે આવેલી કારે ટક્કર મારતા એક્ટિવાચાલકનું મોત

અમદાવાદઃ શહેરના બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધા રહ્યું છે. શહેરના એસજી હાઇવે પર હાઈકોર્ટ નજીક સોલા ઓવર બ્રિજ પર કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકરનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  બેફામ ઝડપે […]

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા […]

સુરતના મેયર કહે છે, શહેરના કૂતરાઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધાતા લોકોને કરડી રહ્યા છે

સુરતઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી ત્યાં રખડતા કૂતરાનો પણ ત્રાસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી હતી. મેયરે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં […]

જંત્રીના દર વધે તે પહેલા જ વિવિધ બેન્કો અને સંસ્થાઓમાં કાલથી ફ્રેન્કિગ સેવા બંધ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 15મી એપ્રિલથી જંત્રીના ભાવમાં ડબલ વધારો થશે. તેના લીધે હાલ તમામ રજિસ્ટ્રી કચેરીઓમાં દસ્તાવેજ માટેની લાઈનો લાગી રહી છે. કચેરીઓ દ્વારા રોજ 100 જેટલા ટોકન આપવામાં આવી રહ્યા છે. અને તે પ્રમાણે જ દસ્તાવેજ થાય છે. એટલે ઘણીબધી કચેરીઓમાં 15મી એપ્રિલ સુધીના સ્લોટ પુરા થઈ ગયા છે. જંત્રીના ભાવ વધશે એટલે રિયલ […]

બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે શાકભાજી સહિત ઉનાળું પાકના વાવેતરને નુકશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન સમયાંતરે ડીસા સહિત જિલ્લાના અનેક ભાગોમાં કરા સાથે ભારે ઝાપટાભેર માવઠું પડતાં  ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને નુકસાન થયું છે. આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરની શરૂઆત થઈ […]

ગુજકેટની પરીક્ષા વ્યવસ્થા જે મધ્યસ્થ કેન્દ્રોમાં હશે તો ત્યાં મૂલ્યાંકનની કામગીરી બંધ રખાશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી, ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા તા.3જીને સોમવારે લેવાશે.  શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની બેઠક વ્યવસ્થા જે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ગોઠવવામાં આવી છે. તેવા મધ્યસ્થ મૂલ્યાંકનના કેન્દ્રોમાં મૂલ્યાંકનની કામગીરી બંધ રાખવાનો […]

ગુજરાતમાં જે શિક્ષકોને સ્કૂલ ઈન્સ્પેક્ટરની જવાબદારી સોંપાય છે તેમને મૂળ શાળામાં હાજર થવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરીને પગલે સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. મોટાભાગની સ્કુલમાં એક્રિડિટેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાથી સ્કુલ ઇન્સ્પેક્ટર્સને મૂળશાળામાં હાજર થવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે રાજ્યના શિક્ષણ વિભાગે […]

ચૂંટણી પંચઃ અમદાવાદમાં મતદાર યાદીસંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

અમદાવાદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે અમદાવાદમાં ચૂંટણીપંચના અધિકારીઓની રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતી અને અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર […]

અધિક મદદનીશ સિવિલની જગ્યા માટે 11 મહિના પહેલા પરીક્ષા આપી પણ હજુ પરિણામ આવ્યું નથી

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો વિવિધ ભરતીની પરીક્ષા આપ્યા બાદ તેના પરિણામની ચાતક નજરે રાહ જોતા હોય છે. પરંતુ ભરતી અંગે પરીક્ષા આપ્યાના મહિનાઓ બાદ પણ પરિણામ જાહેર ન થાય ત્યારે યુવાનો નિરાશ થતા હોય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 11 મહિના પહેલા અધિક મદદનીશ સિવિલની ભરતી માટે પરીક્ષા […]