1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ક્ષત્રિય સમાજ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, ગામેગામ ધર્મરથ ફરશેઃ કરણસિંહ ચાવડા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મુડમાં છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને ન સ્વીકારતા હવે  તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના જઈને ભાજપ સાથે […]

કૃષિ વિભાગે વધતા જતા તાપમાનમાં ઉનાળું પાકને બચાવવા ખેડુતો માટે જારી કરી એડવાઈઝરી

ગાંધીનગરઃ  ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતિના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું […]

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]

યાત્રાધામ ખેડબ્રહ્મામાં ભાજપ કાયાઁલયનુ ઉદઘાટન કરાયુ : ક્ષત્રિય સેના રુપાલાના વિરોધમાં મંડપ સુધી ધસી આવ્યા

ખેડબ્રહ્માઃ લોકસભા ચુંટણી માટે સાબરકાંઠા ભાજપ દ્રારા કાયાઁલય ઉદઘાટનોનો દોર ચાલુ કરી દીધેલ છે. તે પૈકી આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે ભાજપ કાયાઁલયના ઉદઘાટન જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે લક્ષ્મીપુરા ચાર પાસે નવીન બનેલ કોમ્પ્લેક્સમાં જીલ્લા […]

લોકસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ 27મી એપ્રિલથી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ધીમે ધીમે તેજ બની રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં છે. દરમિયાન આગામી 27મી એપ્રિલથી 3 મે સુધી રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ […]

ચૈત્રી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મેળો : માતાજીના દશઁન કરવા ભક્તો ઉમટયા

ખેડબ્રહ્માઃ આજે ચૈત્રી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સાથે મહામેળો પણ ભરાયો છે. માતાજી આજે કમળની સવારી પર બિરાજમાન થયા હતા. ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે […]

ક્ષત્રિય સમાજ ધર્મયાત્રા કાઢીને ભાજપનો વિરોધ કરશે, અન્ય સમાજનો પણ સાથ લેવાશે

અમદાવાદ:  ક્ષત્રિય સમાજની વિનંતી છતાંયે ભાજપે પરશોત્તમ રૂપાલીની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. રાજપૂત સમાજનું આંદોલન  વેગ પકડી રહ્યું છે. ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સમાજે ‘ઓપરેશન ભાજપ’ની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800 […]

ક્ષત્રિય સમાજનું ભાજપને ટેન્શન, ડેમેજ કન્ટ્રોલ માટે ભાજપના બે નેતાઓએ મીટિંગનો દોર શરૂ કર્યો

અમદાવાદઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપે ટિકિટ રદ નહીં કરીને મક્કમ રહેતા હવે ભાજપ સામે પડ્યો છે. ગામેગામ ભાજપને નો અન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code