1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પીલોલ ગામે વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણીમાં ડૂબી રહેલા યુવાનનું ગ્રામજનોએ કર્યું રેસ્ક્યુ

અમદાવાદઃ વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે. વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઉતરવાનું નામ લેતા નથી. ત્યારે સાવલી તાલુકાના પીલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ગામના કેટલાક યુવાનો પોતાના જીવ જોખમમાં […]

દ્વારકા નજીક સુરતના ઉદ્યોગતિ કાર સાથે પાણીના વહેણમાં તણાયા, ઝાડ પકડીને જીવ બચાવ્યો

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં અનેક યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સુરતના એક ઉદ્યોગપતિ પોરબંદરથી પોતાની લકઝરી કારમાં દ્વારકા આવી રહ્યા હતા. ત્યારે હાઈવેના એક ડીપ બ્રિજ પર ધસમસતા પાણીમાં મર્સિડીઝ કાર સાથે તણાયેલા સુરતના યુવા ઉદ્યોગપતિ પાણીમાં 20 મિનિટ સુધી બાવળના ઝાડને પકડી […]

મુખ્યમંત્રી વરસાદી તારાજીનું નિરિક્ષણ કરવા જતાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પરત ફરવું પડ્યું

અમદાવાદઃ રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરિક્ષણ કરી રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવાઈ નિરિક્ષણ માટે સુરત સુધી સરકારી વિમાનમાં અને ત્યાંથી હેલિકોપ્ટરમાં સાપુતારા જવાના હતા.તેથી અમદાવાદથી ખાનગી કંપનીનું હેલિકોપ્ટર સુરત જવા રવાના કર્યું હતું પણ તેમાં યાંત્રિક ખામી […]

પોલીસમાં નવી ભરતી માટે 69 કરોડના બજેટ ફાળવાતા હવે ત્વરિત ખાલી જગ્યાઓ ભરી દેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની કવાયત ચાલી રહી છે. જેના માટે ગૃહ વિભાગે રૂ.69.08 કરોડ ફાળવ્યા છે. જેથી હવે ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં ચલાવે, દરેક પોલીસ સ્ટેશન પીઆઈના તાબા હેઠળ જ રહેશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરીને જ્યાં પણ પીએસઆઈના તાબા હેઠળના પોલીસ સ્ટેશન હતા, તે પીઆઈના કરી દેવા […]

અમદાવાદ મ્યુનિએ કચ્છમાં ગ્રીન એનર્જીથી 27 કરોડની વીજ પેદા કરી, વીજળી બિલમાં મોટી રાહત

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચ્છના નખત્રાણા અને જામજોધપુરમાં 21 મેગાવોટ પવન ચક્કીથી વીજળીના ઉત્પાદન માટે પ્રોજેક્ટ શરૂ કરતા એએમસીને વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને 26.8 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરી અંદાજે 180 કરોડની વીજળીની બચત કરી છે. પવનચક્કીના પ્રોજેક્ટ દ્વાર મ્યુનિ. દર વર્ષે અંદાજે 5.5 કરોડ યુનિટ વીજળી […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 54 ટકા વરસાદ પડ્યો, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી 8નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોર સુધીમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં તાપી, ડાંગ, મહિસાગર, નર્મદા સહિત જિલ્લાઓમાં સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 54 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જોકે રાજ્યના 8 તાલુકામાં સીઝનનો બેથી 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 82 […]

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને બીજીબાજુ વરસાદી સીઝનને લીધે વાયરલ બિમારીના કેસ વધ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદી સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, વાયરલ બિમારીના કેસોમાં વધારો થયો છે. તે બીજીબાજુ ચાંદીપુરા વાયરસ પણ વકરી રહ્યો છે. તેના લીધે રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા મથકોની સરકારી અને ખાનગી  હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર ઘેર […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3-D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત

અમદાવાદઃ આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં 3- ડી લેપ્રોસ્કોપીની મોટી ભૂમિકા છે. જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં, 3D લેપ્રોસ્કોપી શરીર ના અંદર નાં અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રીપારીમાણીક વિઝન આપે છે . જે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર, વગેરે નાં ઓપેરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે. આ ઉત્તમ ત્રીપારીમાનિક […]

પાવાગઢમાં ભારે વરસાદને પગલે ડુંગર ઉપર દર્શનાર્થીઓના જવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આથી યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા ડુંગર પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વરસાદ પડવાને લીધે ડુંગરની સીડીઓ પરથી પાણીઓ વહી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને […]

સુરતમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ

અમદાવાદઃ ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધની સંયુક્ત પશુપાલન નિયામક, ગાંધીનગરની વર્ષ 2023ની સૂચના તેમજ પ્રાણી ક્રૂરતા અધિનિયમ-1960 મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરાઈ છે. (ગ્લુટ્રેપ) કે જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code