1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1492 કેસ નોંધાયા,

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ છેલ્લા બે-ચાર દિવસથી થોડી રાહત મળી છે. હાલ મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયુ છે. જો કે બે-ત્રણ દિવસમાં ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગરમીને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધતા જાય છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના 1492 કેસ નોંધાયા હતા. […]

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના લીધે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં, મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ચૈત્રી પુનમના દિને માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી. ચાચરચોક નજીક આવેલા યજ્ઞશાળામાં પણ ભાવિકોએ હવનના દર્શન કર્યા હતા. યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા યોગ્યરીતે જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જહેમત ઊઠાવવામાં આવી હતી. ચૈત્રી […]

ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનાવાયેલો આઈકોનિક રોડ પરના ફુલ-ઝાડ સુકાવા લાગ્યા,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના રોડ-રસ્તાઓનું વાયબ્રન્ટ સમિટ પહેલા નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી તરફના આઈકોનીક રોડને અંદાજીત 32 કરોડના ખર્ચે તૈયાર કરીને સમયાંતર વિવિધ રંગબેરંગી ફૂલ છોડ – વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. પરંતુ ઉનાળાની ગરમીમાં તંત્રની યોગ્ય જાળવણીના અભાવે ફુલ-ઝાડ સુકાઈ ગયા છે. આમ રોડની બન્ને સાઈડ અને ડિવાઈડર પર લીલાછમ વૃક્ષો […]

શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક આચાર સંહિતાને લીધે મળી ન શકતા પરિણામોમાં વિલંબ થશે

ગાંધીનગરઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહિઓનું મૂલ્યાંકનનું કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવાની ગણતરી હતી, પરંતુ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને કોપી કેસના નિકાલ માટે મળનારી પરીક્ષા સમિતિની […]

રાજકોટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર શેડ ન હોવાથી પ્રવાસીઓને તડકામાં શેકાવવું પડે છે

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર-4 પર શેડ કે છાપરૂ જ નથી. આથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓને ખુલ્લા પ્લેટફોર્મમાં ઊભા રહીને તડકામાં શેકાવું પડે છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4માં શેડની સુવિધા તો નથી પણ. પંખા, લાઇટ, પાણી, શૌચાલયની પણ પૂરતી સુવિધા નથી. પૂરતી પ્રાથમિક સુવિધા નહીં હોવાથી પ્રવાસીઓ હાલાકી ભોગવવી પડી રહ્યા છે. […]

અમદાવાદ CPના જાહેરનામાંને પડકારતી રિટ યોગ્ય બેન્ચ સમક્ષ મુકવા HC જજે રજિસ્ટ્રીને સુચના આપી

અમદાવાદઃ  રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરીને અમદાવાદના પાલીસ કમિશનરના જાહેરનામાંને પડકાર્યો છે. રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, તેમના બંધારણીય હક્કોનો ભંગ થઈ રહ્યો છે, બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. આ મેટર જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજૂ થઈ હતી. […]

ક્ષત્રિય સમાજ કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, ગામેગામ ધર્મરથ ફરશેઃ કરણસિંહ ચાવડા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મુડમાં છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગને ન સ્વીકારતા હવે  તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટના જઈને ભાજપ સાથે […]

કૃષિ વિભાગે વધતા જતા તાપમાનમાં ઉનાળું પાકને બચાવવા ખેડુતો માટે જારી કરી એડવાઈઝરી

ગાંધીનગરઃ  ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતિના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે. આ એડવાઈઝરીમાં જણાવાયું […]

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]

યાત્રાધામ ખેડબ્રહ્મામાં ભાજપ કાયાઁલયનુ ઉદઘાટન કરાયુ : ક્ષત્રિય સેના રુપાલાના વિરોધમાં મંડપ સુધી ધસી આવ્યા

ખેડબ્રહ્માઃ લોકસભા ચુંટણી માટે સાબરકાંઠા ભાજપ દ્રારા કાયાઁલય ઉદઘાટનોનો દોર ચાલુ કરી દીધેલ છે. તે પૈકી આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં પોશીના, વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે ભાજપ કાયાઁલયના ઉદઘાટન જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે લક્ષ્મીપુરા ચાર પાસે નવીન બનેલ કોમ્પ્લેક્સમાં જીલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code