ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]

નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રુપિયા. 15,920 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી -પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

પીએમ મોદીએ રાજદનાથ સિંહના ટ્વિટ પર પ્રતિક્રીયા આપી કહ્યું રક્ષા ક્ષેત્રમાં સુધારા સારુ રિઝલ્ટ લાવી રહ્યા છે દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદીએ આજે શનિવારના રોજ રક્ષા ક્ષેત્રને લઈને ટ્વિટ કર્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાના સારા પરિણામો ગણાવ્યા છે. તેમણે કહ્સંયું કે રક્ષણ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચે છે તે દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં […]

કોરોનાના વધતા કેસ:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 2,994 નવા કેસ નોંધાયા

કોરોનાના વધતા કેસ 24 કલાકમાં 2,994 નવા કેસ નોંધાયા 300૦ ની નજીક પહોંચી સંખ્યા દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે  અને છેલ્લા 24 કલાકમાં 1,146 સક્રિય કેસ વધ્યા છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સાત […]

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલીને 9 એપ્રિલ કરવામાં આવી,તે જ દિવસે પીએમ પણ મૈસુરમાં હશે

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલાવાય  9 એપ્રિલે યોજાશે સત્યમેવ જયતે કાર્યક્રમ તે જ દિવસે પીએમ મોદી પણ મૈસુરના પ્રવાસે  દિલ્હી : કર્ણાટકમાં 9 એપ્રિલે મુખ્ય રાજકીય પક્ષોના બે અગ્રણી નેતાઓ – ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ અલગ-અલગ કાર્યક્રમોમાં ચૂંટણી જંગ ખેલશે. કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી […]

PM મોદી આજે ભોપાલ પ્રવાસે,વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભોપાલના પ્રવાસે છે. તે લગભગ 7 કલાક શહેરમાં રહેશે. પીએમ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ રેડી, રિવાઈવ, રિલેવન્ટ થીમ પર આયોજિત કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન પીએમના સ્વાગત કાર્યક્રમ અને રોડને મોકૂફ […]

અમદાવાદના S G હાઇવે પર બેફામ ઝડપે આવેલી કારે ટક્કર મારતા એક્ટિવાચાલકનું મોત

અમદાવાદઃ શહેરના બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધા રહ્યું છે. શહેરના એસજી હાઇવે પર હાઈકોર્ટ નજીક સોલા ઓવર બ્રિજ પર કારચાલકે એક એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ વિજય ઠાકરના પુત્ર જપન ઠાકરનું મૃત્યુ થતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  બેફામ ઝડપે […]

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા […]