Site icon Revoi.in

બોલિવૂડ અભિનેતા સંજયદત્તને લંગ કેન્સર-થર્ડ સ્ટેજના કેન્સરથી પીડિત અભિનેતા સારવાર માટે  જઈ શકે છે યૂએસ

Social Share

સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વર્ષ 2020 દરમિયાન બોલિવૂડના કેટલાક કલાકારોએ આ દુનિયાને પણ અલવિદા કહ્યું છે,જાણે આ વર્ષ બોલિવૂડ માટે ઘાત સમાન બન્યુ છે , ત્યારે હવે બોલિવૂડમાં મુન્નાભાઈ તરીકે જાણીતા બનેલા અભિનેતા સંજયદત્તને લઈને એક સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા સંજય દત્તના ફ્રેંસ માટે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે,અભિનેતા સંજુબાબા ફેંફસાના કેન્સરના ત્રીજા સ્ટેજથી પીડાઇ રહ્યા છે,લંગ કેન્સરથી પીડાતા અભિનેતા ઈન્ડિયાની બહાર પોતાનો ઈલાજ કરાવશે.

આ સમગ્ર બાબતે સંજુ બાબાના આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, સંજયદત્ત માટે આ એક ખરાબ સમાચાર છે,કારણે કે તેઓને બે નાના સંતાનો છે.તેમની પત્નિ સંતાનો સાથે લંડનમાં છે,ત્યારે આ સમાચાર મળ્યાની ગંભીર સ્થિતિમાં સંજયદત્તના પરિવારનું સાથે હોવું ખુબ જરુરી હતું ,પરંતુ કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં પરિવાર લંડનમાં જ ફસાયું છે.અભિનેતા સંજયદત્ત એ બોલિવૂડમાં અનેક સફળ મૂવી આપ્યા છે,હાલ તેઓ તેમની બિમારીને લઈને સકારાત્મક જોવા મળી રહ્યા છે,

છેલ્લા એક અડવાડિયાથી સંજુબાબને શ્વાસલેવામાં તકલિફ પડતી હતી જેને લઈને તેમને મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અહીં તેમના રિપોર્ટ કરાવામા આવતા જાણવા મળ્યું કે,તેમને લંગ કેન્સર છે,એટલે કે ફેંફસાનું કેન્સર,ત્યારે હવે સંજયદત્ત માટે આ કપરી પરિસ્થિતિ છે.

સાહીન-