Site icon Revoi.in

ડોક્ટર્સની હડતાલ વચ્ચે NMC બિલ પાસઃ સતત ત્રીજા દિવસે પણ તબીબો હડતાલ પર

Social Share

દેશભરમાં ડોક્ટરર્સની હડતાલ ચાલી રહી હતી જેના વચ્ચે ગઈકાલે ગુરુવારે રાજ્યસભામાં નેશનલ મેડિકલ કમિશન બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતા હવે નેશનલ મેડિકલ કમિશનની રચના થશે. પરંતુ સતત ત્રીજા દિવસે પમ તબીબોની હડતાળ યથાવત છે.

આ કમિશન રચનાથી ભ્રષ્ટાચારના આરોપોથી ભરેલી એમસીઆઈનું સ્થાન લેશે. તબીબી શિક્ષણ, તબીબી કોલેજ અને ડોક્ટરોની નોંધણી સંબંધિત તમામ કાર્ય હવે આ કમિશન મારફત કરવામાં આવશે. ત્યારે ભારત સરકાર  બિલને તબીબી શિક્ષણ જગતમાં એક મોટો સુધારો અને પરિવર્તન ગણાવે છે. અન્નાદ્રમુકના વોકઆઉટ પછી રાજ્યસભામાં આ બિલ પસાર કરાયું હતું ત્યારે લોકસભામાં આ બિલ પહેલેથીજ 29 જુલાઈએ પાસ થઈ ચુક્યું હતું અને આ બિલ રાજ્યસભામાં પાસ ન કરાવવા માટે દેશભરના અનેક તબીબો હડતાલ પર ઉતરી આવ્યા હતા.

આ બિલપાસ થયા બાદ પણ નેક તબીબો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર છે ત્યારે  મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ  ડોક્ટર્સને હડતાલ પર ન જવા અપીલ કરી છે તેમણે કહ્યું કે  બિસ તામારા હિતમાં છે અને આ બિલથી તબીબ શિક્ષણ ક્ષેત્ર અનેક સુધારા આવશે. ત્યારે સખત વિરોધ વચ્ચે  બિલ ગઈકાલે રાજ્યસભામાં પસાર થઈ ચુક્ય છું