Site icon Revoi.in

હુર્રિયત પર હવે ઈન્કમટેક્સે કસ્યો ગાળિયો, સૈયદ અલી શાહ ગિલાનીનું દિલ્હી ખાતેનું મકાન સીઝ

Social Share

હુર્રિયત કોન્ફરન્સ પર કાયદાકીય સકંજો કસવાની સાથે હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ગાળિયો ભીંસવાનું શરૂ કરી દીધું છે. આ કડીમાં આજે ઈન્કમટેક્સ વિભાગે હુર્રિયત કોન્ફરન્સ અને ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના દિલ્હી ખાતેના મકાનને સીઝ કરી દીધુ છે.

દિલ્હી ખાતેના ગિલાનીના મકાનમાં તેની સાથે તેના જમાઈની પણ ભાગીદારી હોવાનું જણાવાઈ રહ્યું છે.

ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યુ છે કે ગિલાની પર 1996-97થી લઈને 2001-02 સુધીના 3.62 કરોડથી વધારેની દેણદારી છે.