Site icon Revoi.in

પુલવામા એટેક બાદ પાકિસ્તાન સામે વધતો આક્રોશ: જયપુર જેલમાં પાકિસ્તાની જાસૂસની માર મારીને હત્યા

Social Share

પુલવામા ખાતેના આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાજસ્થાનની જયપુલ જેલમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર જેલમાં બંધ પાકિસ્તાની કેદી શકીરુલ્લાહની હત્યા કરી દેવામાં આવી છે. જયપુર જેલમાં બંધ અન્ય કેદીએ પાકિસ્તાની કેદી શકીરુલ્લાહની માર મારીને હત્યા કરી દીધી છે.

શકીરુલ્લાહની હત્યા જયપુર જેલમાં જ બંધ અન્ય ત્રણ સજા પામેલા પાકા કામના કેદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.

પાકિસ્તાની કેદીની હત્યાના અહેવાલ મળતાની સાથે જ જયપુર જેલ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે મામલાની તપાસ શરૂ કરી હતી. પાકિસ્તાની કેદી શકીરુલ્લાહ જાસૂસીના આરોપમાં જેલમાં બંધ હતો અને સજા કાપી રહ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના જણાવ્યા પ્રમાણે ભારતની જેલોમાં લગભગ 350થી વધારે પાકિસ્તાની નાગરિકો બંધ છે.

14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા ફિદાઈન એટેકમાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે જનાક્રોશની સ્થિતિ છે.