Site icon Revoi.in

પુલવામા એટેકનું દિલ્હી કનેક્શન? જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદની ધરપકડ

Social Share

દિલ્હી પોલીસને આજે એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશયલ સેલે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ સજ્જાદ છે અને તે જમ્મુ-કાશ્મીરના પુલવામાનો વતની છે. સજ્જાદને ગુરુવારે રાત્રે લાજપતરાય માર્કેટ નજીકથી એરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સજ્જાદ જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર છે.

સૂત્રોનું કહેવું છે કે સજ્જાદના તાર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે જોડાયેલા હોવાની સંભાવના છે. સજ્જાદને પુલવામા એટેકના માસ્ટરમાઈન્ડ મુદસ્સિરનો નિકટવર્તી માનવામાં આવે છે.

મુદસ્સિરને આ મહીને સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો. પુલવામા એટેકથી પહેલા સજ્જાદ દિલ્હી આવ્યો હતો. મુદસ્સિરને સજ્જાદે દિલ્હીમાં સ્લીપર સેલ સ્થાપિત કરવાની જવાબદારી સોંપી હતી. હાલ પોલીસે સજ્જાદની પૂછપરછની પ્રક્રિયા હાથ ધરી છે.

Exit mobile version