- કોરોનાને લઈને દેશ પણ સતર્ક
- છેલ્લા 24 કતલાકમાં 121 નવા કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાને લઈને ચિંતા જોવા મળી રહી છે કારણ કે ચીનમાં જે રીતે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે તેને લઈને ભારત સરકાર પણ સતર્કતા દાખવી રહી છે,જો કે અનેક દેશોની સરખામણીમાં કોરોનાને લઈને ભારતની સ્થિતિ હાર નિયંત્રણમાં છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે 170 નવા કેસ નોંધાયા હતા જ્યારે આજરોજ મંગળવારે આ આંકડો 121 કેસ પર જોવા મળ્યો છે.
જો દેશમાં હવે સારવાર હેઠળના દર્દીઓની વાત કરીએ તો હાલ આ સંખ્યા 2,319 જોવા મળી રહી છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી એકનું મોત થયું છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,722 થઈ ગયો છે.
જો હાલ દેશમાં કોરોનાના દૈનિક હકારાત્મકતા દરની વાત કરીએ તો હાલ તે 0.07 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.11 ટકા જોવા મળ્યો હતો.આ સહીત દેશમાં કુલ સંક્રમણના 0.01 ટકા સક્રિય કેસ જોવા મળી રહ્યા છે.
આ સાખથે જ રાષ્રિટ્કરીય કોવિડ રિકવરી રેટ વધીને 98.80 ટકા થઈ ગયો છે. 24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ-19 કેસોમાં 52 કેસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે દેશમાં કોરોનાના મૃત્યુ દર 1.19 ટકા જોઈ શકાય છે.