Site icon Revoi.in

અમદાવાદમાં તત્વતાર્થી, અધ્યાત્મ વિદ્યામંદિરમાં સન્માન સમારોહનું આયોજન

Social Share

અમદાવાદઃ અનંત શ્રીવિભૂષિત જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરચાર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજનો તત્વતીર્થમાં પૂજ્ય સ્વામી શ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા તા. 20મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ રોડ વિસ્તારમાં તત્વતાર્થી, અધ્યાત્મ વિદ્યામંદિર ખાતે 20મી ફેબ્રુઆરીના રોજ આયોજીત સમારોહમાં શોભાયાત્રા, માલ્યાર્પણ, પાદુકાપુજા, દીપપ્રાગટ્ય, અનુગ્રહભાષણ, ગુરુમેવાભિગચ્છેત અને ગુરુદક્ષિણા સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપસ્થિત રહે છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ-સંતા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહશે.