Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વધુ 13,105 કેસ નોંધાયાઃ 137નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 137 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 5,010 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 137 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 23 લોકો અને સુરત શહેરમાં 22 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 78,41 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 5142, અને અમદાવાદ જિલ્લામાં 84,  સુરત શહેરમાં 1958, અને જિલ્લામાં 518, વડોદરા શહેરમાં 598, અને જિલ્લામાં 183, રાજકોટ શહેરમાં 697, અને જિલ્લામાં 65, જામનગર શહેરમાં 336, અને જિલ્લામાં 228,  ભાવનગર શહેરમાં 148, અને જિલ્લમાં 106, ગાંધીનગર શહેરમાં 161, અને જિલ્લામાં 115, પાટણમાં 158, મહેસાણામાં 444, દાહોદમાં 97, પંચમહાલમાં 97, બનાસકાંઠા 236,  ભરુચમાં 157, ખેડામાં 114, મોરબીમાં 66, કચ્છમાં 214, આણંદમાં 42, મહિસાગરમાં 77, નવસારીમાં 107,   સહિત કુલ 13,105  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 53,393  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,55,875 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.