Site icon Revoi.in

ભારતની કોરોના રસીકરણમાં નવી સિદ્ધી – વેક્સિનેશનનો આકંડો હવે 200 કરોડને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના વિરોધી વેક્સિનને  મહત્વનો ભાગ ભજવો છે,થોડાૈ જ સમયમાં ભારતે વેક્સિન બાબતે ઊચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ હતું ભારત સિવાયના દેશઓને વેક્સિન આપવામાં પમ દેશ આગળ હતો ત્યારે હવે વેક્સિનેશન બાબતે વધુ  એક સિદ્ધી મેળવી છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં  16 જાન્યુઆરી 2021 ના ​​રોજ દેશભરમાં શરૂ થયું ત્યારે હવે કોવિડ રસીકરણ અભિયાને તેના નામે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં રસીકરણ અભિયાને 220 કરોડ રસીના ડોઝ મેળવ્યા  છે.

ત્યારે હવે વેક્સિનેશન મામલે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું  છે કે ભારતે 220 કરોડ રસીના ડોઝના આંકડાને સ્પર્શ કર્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને ક્ષમતાનો પુરાવો છે. આજે દેશે 220 કરોડ રસીના ડોઝનો આંકડો પાર કરી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ‘સુરક્ષિત અને સ્વસ્થ ભારત’ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ.ઉલ્લેખનીય છે કે  રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ પછી, બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન કામદારોને રસી આપવામાં આવી હતી.ત્યાર બાદ કોરોનાનો બીજો અને ત્રીજો ડોઝ પણ શરુ કરવામાં આવ્યો હતો.