Site icon Revoi.in

કેદારનાથ મંદિરમાં ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ રૂમ બનાવાયો,જાણો શા માટે બનાવાયો આ રૂમ

Social Share

દહેરાદુન: કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી પ્રસાદની ગણતરી કરવામાં આવશે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે સોમવારે પૂજા પછી ‘પારદર્શક કાઉન્ટિંગ રૂમ’નું સંચાલન શરૂ થયું. જેમાં BKTC એક્ઝિક્યુટિવ ઓફિસર રમેશ ચંદ્ર તિવારી અને કેદાર સભાના પ્રમુખ રાજકુમાર તિવારીએ ભાગ લીધો હતો.

એટલું જ નહીં, તેમણે કહ્યું કે મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટ અને દાન સહિત તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખવા માટે કાચના રૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે એક ભક્ત દ્વારા આપવામાં આવેલા દાનથી BKTC દ્વારા ગ્લાસ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેદારનાથ મંદિર હિમાલયની ગોદમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. જ્યોતિર્લિંગોમાંનું એક અને સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ અહીં સ્થાપિત છે.પૌરાણિક કથાઓ અનુસાર, મંદિરનું નિર્માણ સૌથી પહેલા પાંડવોએ અહીં કરાવ્યું હતું. કહેવાય છે કે, પાપોથી મુક્તિ મેળવવા માટે તે ભગવાન શિવની શોધમાં કેદારનાથ પહોંચ્યા. તેણે આ જગ્યા શોધી કાઢી અને અહીં મંદિર બનાવ્યું. પાછળથી 8મી સદીમાં, આદિ શંકરાચાર્યએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું.

Exit mobile version