Site icon Revoi.in

પાસપોર્ટ રિન્યૂ કરવા બાબતે અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધીઃ- કોર્ટમાં કરી અપીલ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને તે સતત કોઈને કોઈ બાબતે ચર્ચાનો વિષય બનતી જોવા મળે છે, ત્યારે હવે પાસપોર્ટ રિન્યૂ કરવા બાબતે કંગના ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે.પાસપોર્ટ ઓફીસ દ્રારા તેનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો છે .

કંગનાએ પોતાના પાસપોર્ટ રિન્યૂની માંગણી કરતા બોમ્બે હોઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે,તેણે કોર્ટમાં અરજી કરતા લખ્યું છે કે, બાંદ્રા પોલીસ દ્રારા તેના પર દ્વેષપૂર્ણ ટ્વિટ અને રાજદ્રોહ માટે નોંધાયેલ એફઆઈઆરને કારણે પાસપોર્ટ ઓથોરિટી આ અંગે વાંધો ઉઠાવી રહી છે. આ કેસમાં તેની બહેન રંગોલી ચંદેલ પણ આરોપી છે.

ઉલ્લેખનીય છે કે, તે એક અભિનેત્રી હોવાથી તેણે પ્રોફેશનલ કાર્ય માટે દેશ વિદેશની યાત્રાઓ કરવી પડતી હોય છે,કંગનાએ જાણકારી આપતા કહ્યું કે, તેણે એક ફિલ્મની શૂટિંગમાં લીડ રોલ પ્લે કરવા માટે વિદેશ જવાનું છે,15 જૂનથી ઓગસ્ટ સુઘી તે બુડાપેસ્ટ માટે રવાના થવાની છે જેને લઈને તેને આ પાસપોર્ટની અનિવાર્યતા છે,જેથી તેણે કોર્ટમાં અપીલ કરી છે.

કંગના રાનૌતે સોમવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ આ મામલે અરજી કરી હતી, જેની સુનાવણી આજરોજ મંગળવારે થવાની છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે કંગના 15 જૂનથી 10 ઓગસ્ટ દરમિયાન બુડાપેસ્ટ અને હંગેરીની યાત્રા કરનાર છે. તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ના બીજા શેડ્યૂલનું શૂટિંગ હજી બાકી છે

કંગનાએ કોર્ટમાં કરેલી અરજીમાં લખ્યું છે કે,તેનો પાસપોર્ટ સપ્ટેમ્બર 2021મા સમાપ્ત થાય છે જેના કારણે તેણે પાસપોર્ટ રિન્યૂ કરવાની અનિવાર્યતા સર્જાઈ છે,પરંતુ તેના સામે દાખલ કરવામાં આવેલા દેશદ્રોહના મામલાના કારણે તેની મુસબીતો વધી રહી છે,જો કે અત્યાર સુધી આ મામલે કોર્ટએ કોી પ્રતિક્રિયા આપી નથી કે કંગનાનો પાસપોર્ટ રિન્યૂ કરાશે ક નહી કરાય, જેને લઈને કંગના ચિંતિંચ જોવા મળી છે.