Site icon Revoi.in

એક્ટ્રેસ કંગનાએ ટ્વિટ કરીને કેજરીવાલને આડે હાથ લીધા, કહ્યું, ‘મુશ્કેલીઓ વધારીને હવે મોદીજીની યાદ આવી’

Social Share

મુંબઈ – પોતાની બિંદાસ બોલવાની હિમ્મતથી ક્વિન તરીકે જાણીતી બનેલી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે, કોઈ પણ બાબતમાં તેની ટ્વિટ તો અવશ્ય જોવા મળે જ, ત્યારે હવે કંગના આજે ફરી ટ્વિટર પર એક્ટિવ બનીને કટાક્ષમાં ઉતરી છે, કંગનાએ કોરોનાની સ્થિતિને લઈને દિલ્હીના સીએમ કેજરીવાલને આડે હાથ લીધા છે.

રાજકિય બાબત હોય કે બોલિવૂડની વાત હોય તે હંમેશા સપોર્ટમાં આવે છે. તે સોશિયલ મીડિયા પર કોઈપણ વિષય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. ત્યારે કંગનાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે.

વાત જાણે એમ છે કે વિતેલા દિવસે સીએમ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને મદદની પુકાર કરી હતી, ત્યાર બાદ એક્ટ્રેસ કંગનાએ આ પત્રને શેર કરીને તેના પર કટાક્ષ કર્યો છે,તેણે લખ્યું છે કે, “બચાઓ, બચાઓ, બચાઓ ” મોદીજી બચાઓ, મારે જેટલા રાયતા ફેલાવા હતા તે  મેં ફલાવી દીધા, હવે તમે તેને સાફ કરો…આ રહ્યું તમારું રાયતું અને તમારી દિલ્હી….સંભાળો….ગોળગોળ બોલવાથી માત્ર વાત બદલાઈ શકે છે તેનો અર્થ નહી”

કેજરીવાલે વધતા જતા કોરોનાના કેસને લઈને પીએમ મોદીને અપીલ કરી હતી કે દિલ્હીમાં બેડની વ્યવસ્થા વધારવામાં આવે ત્યારે આ વાત કંગનાને ખટકી છે, તો બીજી તરફ કંગનાનું આ ટ્વિટ યૂઝર્સને ખટકી રહ્યું છે.

કંગના આ ટ્વિટ માટે ખૂબ ટ્રોલ થઈ રહી છે, યૂઝર્સએ સરકાર પર કટાક્ષ કરવા બાબતે કંગનાને આડે હાથ લીધી હતી, ત્યારે એક યૂઝર્સ એ તો એમ કહ્યું કે, ભગવાન કરે જે સામાન્ય જનતા સહન કરી રહી છે તે તમારે પણ સહન કરવું પડે,તો એક અન્ય યૂઝર્સે કંગનાને કઠોર દીલની કહી હતી.કે આવી કપરી સ્થિતિમાં પણ તમે આમ કહી રહ્યા છો.

સાહિન-