Site icon Revoi.in

એર માર્શલ વિવેક રામ ચૌધરી હશે આગામી વાયુસેના અધ્યક્ષ,RKS ભદૌરિયાની લેશે જગ્યા

Social Share

દિલ્હી:ભારત સરકારે એર માર્શલ વી આર ચૌધરીને એર સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તેઓ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ છે. વર્તમાન એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ તેમની સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. એર માર્શલ વી આર ચૌધરી 1 ઓક્ટોબરના રોજ ચાર્જ સંભાળશે.

એર માર્શલ વિવેક ચૌધરીને સૈન્ય પુરસ્કાર ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર ‘ઉત્તમ યુદ્ધ સેવા મેડલ’ બરાબર છે. વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ તરીકે એર માર્શલ વિવેક ચૌધરીનું પોસ્ટિંગ એવા સમયે થયું હતું. જ્યારે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સરહદ પર ઘણો વિવાદ થયો હતો. આ સાથે પાકિસ્તાન સતત બોર્ડર પર તેની નાપાક હરકતોથી બાજ નહતું આવતું.

એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યાએ આ વર્ષે જૂનમાં ભારતીય વાયુસેનાના નાયબ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ તેમણે IAF ના વેસ્ટર્ન એર કમાન્ડ (WAC) ના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી, જે સંવેદનશીલ લદાખ ક્ષેત્રમાં તેમજ ઉત્તર ભારતના અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાની દેખરેખ રાખે છે.

નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ ચૌધરીને 29 ડિસેમ્બર 1982 ના રોજ ભારતીય વાયુસેનાના લડાકુ ધારામાં સામેલ કરવામાં આવ્યા હતા. 38 વર્ષના વિશિષ્ટ કરિયરમાં અધિકારીએ IAF માં વિવિધ પ્રકારના ફાઇટર અને ટ્રેનર વિમાનો ઉડાવ્યા છે. તેમને મિગ -21, મિગ -23 એમએફ, મિગ 29 અને સુખોઇ -30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટ પર ઓપરેશનલ ફ્લાઇટ સહિત 3,800 કલાકનો ઉડાનનો અનુભવ છે. એર માર્શલ ચૌધરીએ ઘણા મહત્વના હોદ્દાઓ પર સેવા આપી છે.