Site icon Revoi.in

અંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચચા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

Social Share

દેશભરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપની સામાન્ય ઘટનાો સામે આવી રહી છે ત્યારે ટાપુ પ્રદેશ ગણાતા અંદામાન-નિકોબારમાં અવાર નવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે ,મોડી રાતે ફરી એક વખત અંદામાન નિકોબારની ઘરા ઘ્રુજી ઉઠી હતી

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આંદામાન અને નિકોબાર ટાપુઓના દિગલીપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો આંચકો સોમવારે મોડી રાત્રે 2 વાગ્યેને 52 મિનિટે આવ્યા હતા.આ સાથે જ  ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. 

આ ઘટનાને મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે, ભૂકંપ આંદામાન અને નિકોબાર ટાપુઓના દિગલીપુરથી 147 કિમી ઉત્તરમાં આવ્યો હતો.

Exit mobile version