Site icon Revoi.in

અટલ પેન્શન યોજના:નાણાકીય વર્ષ 2021-22માં 65 લાખથી વધુ લોકોની નોંધણી

Social Share

દિલ્હી:અટલ પેન્શન યોજના (APY)ની શરૂઆતથી સાડા છ વર્ષમાંની સફર 3.68 કરોડ નોંધણી સાથે નોંધપાત્ર રહી છે. આ નાણાકીય વર્ષમાં કામગીરી સારી રહી છે કારણ કે 65 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સે નોંધણી કરાવી છે જે યોજનાની શરૂઆત પછીના સમાન સમયગાળા દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ નોંધણી છે. નોંધણી ઉપરાંત, 56:44નો પુરૂષ અને સ્ત્રી સબસ્ક્રિપ્શન રેશિયો સુધરી રહ્યો છે અને એસેટ અંડર મેનેજમેન્ટ લગભગ રૂ. 20,000 કરોડ છે.

APY, ભારત સરકારની મુખ્ય સામાજિક સુરક્ષા યોજના 9મી મે 2015ના રોજ માનનીય પ્રધાનમંઈ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી.

અટલ પેન્શન યોજનાનું સંચાલન કરતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અધ્યક્ષ શ્રી સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે, “સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોને પેન્શનના કવરેજ હેઠળ લાવવાની આ સિદ્ધિ સાર્વજનિક અને ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, પેમેન્ટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, પોસ્ટ વિભાગ અને રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિઓ દ્વારા આપવામાં આવેલ સમર્થન અને તેમના અથાક પ્રયાસોથી જ શક્ય બની હતી.”

“આ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એક કરોડ નોંધણી હાંસલ કરવા ઉપરાંત, આગળ જતાં અમારી પાસે દેશમાં પેન્શન સંતૃપ્તિ હાંસલ કરવાનું કાર્ય છે અને અમે તેને હાંસલ કરવા માટે સતત સક્રિય પહેલ કરીશું,” PFRDA ચેરમેને ઉમેર્યું.

APY 18-40 વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિક દ્વારા સબસ્ક્રાઇબ કરી શકાય છે કે જેમની પાસે બેંક ખાતું છે અને તેની વિશિષ્ટતા ત્રણ વિશિષ્ટ લાભોને આભારી છે. પ્રથમ, તે 60 વર્ષની વયે પહોંચવા પર રૂ. 1000 થી રૂ. 5000 સુધીનું લઘુત્તમ ગેરેંટેડ પેન્શન પ્રદાન કરે છે, બીજું, સબસ્ક્રાઇબરના મૃત્યુ પર જીવનસાથીને આજીવન પેન્શનની ખાતરી આપવામાં આવે છે અને છેલ્લે, બંને સબસ્ક્રાઇબર અને જીવનસાથીના મૃત્યુની સ્થિતિમાં, સમગ્ર પેન્શન કોર્પસ નોમિનીને ચૂકવવામાં આવે છે.