Site icon Revoi.in

ભારત પ્રવાસ પર બાઈડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

Social Share

દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભારતની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આયોજિત બેઠકમાં અમેરિકી સુરક્ષા સલાહકાર ભારતીય અધિકારીઓ સાથે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ સંબંધિત આરોપો સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી.

અગાઉ, સુરક્ષા સલાહકાર જ્હોન ફાઇનરે ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્રી સાથે ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (iCet) અને યુએસ-ભારત સંબંધો પરની પહેલમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, iCet એ યુએસ-ભારત ભાગીદારીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે, જે વ્યૂહાત્મક સુરક્ષા અને ટેક્નોલોજી સહયોગ દ્વારા વધુને વધુ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનરે વ્યાપક હિંદ મહાસાગર ક્ષેત્ર સહિત ઈન્ડો-પેસિફિકમાં સંકલન અને નીતિને મજબૂત કરવાના ઉદ્દેશ્યની ચર્ચા માટે વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક પરામર્શ કર્યો હતો.

ફાઇનરે યુ.એસ.માં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ કરવા અને જવાબદાર જણાય તો તેને જવાબદાર ઠેરવવા માટે એક તપાસ સમિતિની સ્થાપનાને પણ યોગ્ય ઠેરવી હતી.

 

Exit mobile version