Site icon Revoi.in

કપૂરનો યૂઝ પૂજા-પાઠથી લઈને સુગંઘ ફેલાવા સહીત અનેક રીતે થાય છે -જાણો તેના અનેક  ઉપયોગ વિશે

Social Share

ઘરમાં પૂજા પાઠ હોય કે કોઈ પણ વિધિ, ભગવાનની આરતી ક્યારેય પણ કપૂર વિના પૂર્ણ થતી નથી. કારણ કે હિંદુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર પૂજામાં જ નહીં પરંતુ કપૂરથી પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા છે. માત્ર 2 રૂપિયામાં મળતું કપૂર આરોગ્યનો ખજાનો છે.તેની સાથે જ ઘણી રીતે કપૂર ને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ,આજે જાણીશું કપૂરના અનેક ઉપયોગ વિશે.

વાળ માટે કપૂરનો ઉપયોગઃ– કપુરને હેર ઓઈલમાં મિક્સ કરીને વાળમાં નાખવાથી ખોળો મટચે છે અને વાળમાં ઠંડક પણ મળે છે સાથે જ વાળની સમસ્યાને તે દૂર કરે છે,આજે દરેક બીજો વ્યક્તિ ડેન્ડ્રફ કે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. કપૂર વાળા તેલથી તમારી સ્કેલ્પ મજબૂત થશે અને ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળશે. આ સિવાય જો તમને ત્વચામાં ખંજવાળ અથવા ચેપ લાગે છે તો તમે કપૂરનો ઉપાય લઈ શકો છો. આ માટે તમારે માત્ર એક ચમચી ગ્રાઉન્ડ કપૂરને નારિયેળના તેલમાં મિક્સ કરીને ચેપગ્રસ્ત વિસ્તાર પર લગાવવાનું છે.

ઘરમાં ઘૂપ કરવા માટે કપૂરનો ઉપયોગઃ– કપૂરને ભૂપમાં નાખીને સળગાવવામાં આવે તો ઘરમાં ખુશ્બુ ફેલાય છે તો સાથે જ ઘરમાં જીવ જંતુઓનો પણ નાશ થાય છે.

કબાટમાં કપૂર- ઘણી વખત આપણે જે કપડા ફોલ્ડ કરીને અલમારીમાં મૂકીએ છીએ અને લાંબા સમય સુધી બહાર નથી કાઢતા તે બગડવા લાગે છે. આવી સ્થિતિમાં કપડાની સંભાળ રાખવા માટે જ્યારે તેને અલમારીમાં રાખો ત્યારે વચ્ચે કપૂરની ગોળી રાખો. આમ કરવાથી તમારા કપડામાં જંતુઓ પ્રવેશશે નહીં.

કપડામાં રાખો કપૂરઃ– આ સિવાય કપૂરને પીસીને તેમાં લવંડર તેલ મિક્સ કરીને તેનું દ્રાવણ તૈયાર કરો. પછી તેને બોટલમાં ભરી લો. હવે આ સોલ્યુશનને અલમારીના જુદા જુદા ભાગોમાં સ્પ્રે કરો. આમ કરવાથી કપડાંમાંથી એક અલગ પ્રકારની સુગંધ આવશે.

ફાટેલી એડી માટે કપૂરનો ઉપયોઃ-આજકાલ શિયાળામાં દરેક લોકોને એડી ફઆટવાની સનસ્યા સતાવે છએ આવી સ્થિતિમાં કપૂર રામબાણ ઈલાજ છે,આવી સ્થિતિમાં જે લોકોને આ સમસ્યામાંથી પસાર થવું પડે છે તેઓ ગરમ પાણીમાં કપૂર ભેળવીને તેમાં પગ નાખીને થોડીવાર બોળીને બેસી રહેવાથી ચીરા મટે છે. આમ કરવાથી તમને ચોક્કસથી ઘણી રાહત મળશે અને લગભગ 1 અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી તમારા પગની એડીઓ ઠીક થવા લાગશે.