સામાન્ય રીતે ઘણા લોકોને એકલા રહેવાની અને એકલાજ જીવન જીવવાની આદત હોય છે પરિવાર અને મિત્રો હોવા છત્તા તેઓ તમામને ઈગ્નોર કરીને પોતાની એક અલગ જ દુનિયા વસાવી લે છે જો કે આ એકલતા તેમને એક અઁઘકાર તરફ દોરી જાય છે એકલો માણસ સતત નિરાશામાં સપજડાય છે અને જીવન જીવવાની ગતિ ભૂલે છે જેથી જો તમને પ ણએકલતા ગમતી હોય તો ચેતી જજો અને લોકો કે પરિવારની વચ્ચે રહેતા શીખી જજો
મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે એકલતાના કારણે કેટલાક પ્રકારની બીમારી પણ થઈ શકે છે. જો વાત કરવામાં એકલતાથી થતી જોખમી બીમારી અને સમસ્યા વિશે તો ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે લોકો એકલતાનો શિકાર બને છે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઘટવા લાગે છે.
વ્યક્તિ જ્યારે એકલો હોય ત્યારે તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હોય છે. અને પછી આ જ એકલતા તેના શરીરમાં અનેક બીમારીઓનું કારણ બને છે. આવામાં જો વાત કરવામાં આવે કેટલીક બાબતોની તો આ બને એકલતાનું કારણ.
આ ઉપરાંત એવી ભયાનક બીમારી પણ થવાની સંભાવના રહેલી છે જેના નામથી પણ લોકો ગભરાય છે, એક રીસર્ચમાં એવી વાત પણ સામે આવી છે કે એકલતા પણ કોઈની જિંદગી ગુમાવવાનું કારણ બની શકે છે.
અકલો માણસ સતત ચિંતાના વમળમાં ઘેરાચો જોય છે. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દુઃખી અને એકલા રહેવાથી તમને સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે.
સમયસર તમારી જાતને સામાજિક બનાવો અને ઉદાસી ટાળવાનો પ્રયાસ કરો કારણ કે જો તમે 30 વર્ષના હોવ તો પણ તમારી શારીરિક ઉંમર બમણી થઈ શકે છે એટલે કે 60ની નજીક પહોંચી જાય છે.
એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ઉદાસી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે, જે લોકો એકલતા અનુભવે છે તેઓને હૃદય રોગ થવાની શક્યતા વધુ હોય છે અને એકલા રહેતા લોકો કરતા વહેલા મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે એકલતાની સરખામણી સિગારેટ સાથે કરવામાં આવી છે.