Site icon Revoi.in

કોરોનાના કેસમાં ફરી વધારો – છેલ્લા 24 કલાકમાં 19,893 નવી ક્સ નોંધાયો

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાના કેસોમાં વઘધટ જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો થયો છે, જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના કેસ ફરી એક વખત 20 હજારને આસપાસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાવાયરસ  નવા કેસોમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં  19 હજાર 893 નવા કેસ નોંધાયા છેત્યાર બાદ  દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 44,087,037 થઈ ગઈ છે. જો વિકતેલા ગદિવસને બુધવારની વાત કરીએ તો  17 હજાર 135 નવા કેસ નોંધાયા હતા.જેની સરખામણીમાં આજના કેસો વધ્યા છે.

જો છેલ્લા 24 કલાકમાં કોરોનામાં સંક્રમણના કારણે 53 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 526,530 લોકોના મોત થયા છે.જો કે કોરોનાના નોંધાતા નવા કેસની સરખામઈમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 20 હજાર 419 લોકોએ કોરોનાનેમાત આપીને સ્વસ્થ થયા છે.જો દેશભરમાં સીકરણ વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 38,20,676 ડોઝ આપવામાં આવ્યા છે.જો એક્ટિવ કેસ વિશે વાત કરવામાં આવે તો હાલ દેશમાં આ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1 લાખ 36 હજાર 478 થઈ ગઈ છે.