Site icon Revoi.in

કોરોનાના કેસમાં ગઈકાલની તુલનામાં વધારો – દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2,124 નવા કેસ.

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે એવી સ્થિતિમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં વઘધટ પણ જોવા મળી રહી છે,વિતેલા દિવસની સરખામણીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થોડો વધારો નોંધાયો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભમાં કુલ 2 હજાર 124 નવા કેસો નોંધાયા છે,આ સાથે જ આજે નોંધાયેલા કેસો ગઈકાલ કરતા 26.8 ટકા વધુ  જોવા મળે છે. કારણ કે ગઈકાલે દેશમાં કોરોનાના 1 હજાર 675 કેસ નોંધાયા હતા. આ સંદર્ભમાં, તે સ્પષ્ટ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ  છેલ્લા 24 કલાકમાં  કોરોનામાં 17 લોકોના મોત થયા છે.  જ્યારે ગઈકાલે કોરોનાથી કુલ 31 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા, આ સહીત દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન દરમિયાન લોકોને રસીના સતત ડોઝ આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13,27,544 ડોઝ આપવામાં આવ્યા છે.