Site icon Revoi.in

દેશના દરેક શહેરમાં પહોંચાડવામાં આવી રહી છે કોરોનાની રસી, રાજકોટમાં 77000 ડોઝ મોકલાયા

Social Share

રાજકોટમાં વેકિસનનું આગમન કેબિનેટ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ મોહન કુંડારીયા એ કંકુતિલકથી વધામણા કર્યા, ૭૭,000 ડોઝના જથ્થા  એરપોર્ટથી સંગ્રહસ્થાન સુધી ગ્રીન કોરીડોર લઈ જવાયો.. રાજકોટમા કોરોનાના કેસ ૧૪000ને પાર થઈ ચૂક્યા છે ત્યારે રાહતના કિરણ જેવું રસીકરણ તા.16થી શરૂ થવાનું છે.

આ માટે હવાઈમાર્ગે આજે વહેલી સવારે ૭૭000 રસીનો ડોઝ રાજકોટ આવી હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું વર્ચ્યુઅલ લોન્ચીંગ રાજકોટ અને અમદાવાદથી કરવામાં આવનાર છે. આજે વહેલી  રસીનો જથ્થો એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો. મંત્રી આર.સી ફળદુ સાંસદ પૂર્વ મેયર બીના આચાર્ય સહિત અધિકારીઓ અને નેતાઓએ આવકારી કંકુ ચોખાથી વધામણા કર્યા હતા…

રાજકોટ એરપોર્ટ ઉપર વિમાનમાં રસી આવ્યા બાદ તેને ગ્રીન કોરીડોર દ્વારા વિભાગીય નિયામક આરોગ્યની કચેરી ખાતે બનાવાયેલ સૌરાષ્ટ્રના ક્ષેત્રીય સંગ્રહસ્થાનમાં રાખવામા આવી હતી અને ત્યાંથી ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ખાતેથી જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં તેની ફાળવણી કરવામાં આવશે. દરેક મહાપાલિકાને તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તક ડોઝ મોકલવામાં આવશે અને ત્યાંથી કોલ્ડ ચેઈન મારફત આ જથ્થો વેકિસન સેન્ટર ઉપર મોકલવામાંઆવ્યો હતો સુરક્ષીત  રાખવામાં આવ્યો હતો.

-દેવાંશી