1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

ચહેરા પર ખીલથી લઈને પાચનની ગંભીર સમસ્યા સુધી, જાણો તણાવ શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે

આજના આધુનિક અને દોડધામભર્યા જીવનમાં માનસિક તણાવ એટલે કે સ્ટ્રેસ થવો એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જો આ તણાવ લાંબા સમય સુધી જળવાઈ રહે અને તેના સ્તરમાં સતત વધારો થાય તો તે શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. જ્યારે માનસિક તણાવ ખતરનાક મર્યાદા વટાવી […]

ICMR ની સફળતા: સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડની સ્વદેશી રસી ટેકનોલોજી ફાર્મા કંપનીઓને સોંપાઈ

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં બાયોમેડિકલ રિસર્ચ અને નવીનતા ક્ષેત્રે મોટો તબક્કો સર્જાતાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પોતાની ‘મેડિકલ ઇનોવેશન્સ પેટન્ટ મિત્ર’ પહેલ હેઠળ અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ અને વેક્સીન ઉત્પાદકોને ત્રણ સ્વદેશી બાયોમેડિકલ ટેકનોલોજીના લાયસન્સ તબદીલ કર્યા છે. વધુ સંશોધન, વ્યાપારીકરણ અને દેશભરમાં ઉત્પાદનને વેગ આપવાના ઉદ્દેશથી આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી […]

દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી મંજૂરી મળી, 4 થી 60 વર્ષની વયના લોકો માટે થશે ઉપયોગી

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ જર્મનીની ટાકેડા જીએમબીએચ દ્વારા ઉત્પાદિત અને મેસર્સ ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવનાર ડેન્ગ્યુ ટેટ્રાવાલેંત વેક્સિન (લાઈવ, […]

બાળકોમાં ડીહાઈડ્રેશનના લક્ષણો ઓળખો: પાણીની કમી બની શકે છે ગંભીર

બાળકોના યોગ્ય શારીરિક વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. નાના બાળકોના શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેથી ગરમી, તાવ, ઉલટી કે ઝાડા થવાની સ્થિતિમાં તેમનામાં ‘ડીહાઈડ્રેશન’ (પાણીની કમી) થવાનું જોખમ ખૂબ ઝડપથી વધી જાય છે. સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બાળકની તબિયત લથડી શકે છે […]

ભારતમાં 87 ટકા વયસ્કો અસામાન્ય કોલેસ્ટ્રોલથી પીડિત: ICMR રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: જો તમે પણ એવું માનતા હોવ કે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા માત્ર સ્થૂળતા (ઓબેસિટી) કે વધતી ઉંમરના લોકોને જ થાય છે, તો આ સમાચાર તમને જાગૃત કરવા માટે પૂરતા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશના લગભગ 87  ટકા વયસ્કો કોઈને કોઈ પ્રકારની અસામાન્ય કોલેસ્ટ્રોલ (ડિસલિપિડેમિયા)ની સમસ્યાથી ઝૂમી […]

ઘરબેઠા મિનિટોમાં બનાવો નાળિયેરની 4 હેલ્ધી સ્વીટ ડીશ: સ્વાદ સાથે આરોગ્યની સંપૂર્ણ ગેરંટી

મીઠાઈ ખાવાના શોખીન લોકો માટે બજારમાં મળતી સ્વીટ્સમાં ખાંડ અને ફેટનું પ્રમાણ ચિંતાનો વિષય બનતું હોય છે. આવા સમયે જો ઘરે જ ઓછી ખાંડ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર સ્વીટ ડીશ બનાવવામાં આવે, તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને સચવાય છે. નાળિયેરમાંથી બનેલી વાનગીઓ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે નાળિયેરમાં ફાઈબર, હેલ્થી ફેટ, મેંગેનીઝ, કોપર, […]

ચાંદીપુરા વાયરસ : આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદ, 20 જુલાઈ 2026: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 […]

અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ: 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ, 20 જુલાઈ 2026: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ઘાતક ગણાતા ‘ચાંદીપુરા વાયરસ’નો પોઝિટિવ કેસ સામે આવતાં જ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસ પહેલાં લેવામાં આવેલા ચાર વર્ષના માસૂમ બાળકના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ડોર-ટુ-ડોર સર્વેલન્સ, કૉમ્બિંગ અને દવાના છંટકાવ સહિતના નિવારક પગલાં લેવાની કામગીરી શરૂ […]

પાકિસ્તાનમાં HIVનો ફેલાવો: સિંધની હોસ્પિટલમાં બેદરકારીને કારણે 78 બાળકોના જીવ જોખમમાં

ઇસ્લામાબાદ, 18 જુલાઈ 2026: પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક સરકારી હોસ્પિટલમાં ચેપ નિયંત્રણ અને તબીબી કચરાના વ્યવસ્થાપનમાં ગંભીર ક્ષતિઓને કારણે HIVનો ફેલાવો થયો છે, જેના પરિણામે 78 બાળકો સંક્રમિત થયા છે. કરાચીના SITE વિસ્તારમાં સિંધ એમ્પ્લોઈઝ સોશિયલ સિક્યુરિટી ઈન્સ્ટિટ્યૂશન દ્વારા સંચાલિત વાલિકા હોસ્પિટલની તપાસમાં જાણવા મળ્યું કે સિરીંજમાંથી સોય હાથથી કાઢવામાં આવતી હતી, જંતુમુક્ત કરવાની વ્યવસ્થા […]

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.91 લાખ કરોડની રેકોર્ડબ્રેક કેશલેસ સારવાર પૂરી પાડવામાં આવી

નવી દિલ્હી, 18 જુલાઈ 2026: નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા નવી દિલ્હી સ્થિત મધ્યપ્રદેશ ભવન ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સમીક્ષા બેઠક એટલે કે ‘ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્ર અને તમામ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓએ એકસાથે બેસીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના આગામી તબક્કાના અમલીકરણ માટેનો માસ્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code