Site icon Revoi.in

દેશના સૌથી મોટા 21 અબજોપતિઓ પાસે ભારતના 70 કરોડ લોકો કરતાં વધુ સંપત્તિ – રિપોર્ટ

Social Share

દિલ્હીઃ-  ભારક દેશમાં અબજોપતિની સંખ્યા અઢળક છે જો કે કેટલાક અબજોપતિ એવા છે કે જેઓ પાસે દેશની અડધીથી વધુ વસ્તીની લગભગ સંપતિ છે.ત્યારે હવે આ બબાતે પણ એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.આ રિપોર્ટ અનુસાર, ભારતના 21 સૌથી અમીર અબજોપતિઓ પાસે હાલમાં દેશના 700 મિલિયન લોકો કરતા વધુ સંપત્તિ છે.

આજકાલ દેષ વિદેશમાં અમીર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ મુદ્છેદો બની ગયો છે. જોકે, ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ અંતર સતત વધી રહ્યું છે. ઓક્સફેમના તાજેતરના અહેવાલમાં આ વાત સામે આવી છે.આ રિપોર્ટ સોમવારે સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં રજૂ કરવામાં આવશે.

ઓક્સફેમના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2020માં કોરોના મહામારી શરુ થઈ નવેમ્બર 2021 સુધી જ્યાં મોટાભાગના ભારતીયોએ નોકરીની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને બચત બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો, ત્યાં ગયા વર્ષના નવેમ્બર સુધી ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 121 ટકાનો વધારો  થયો છે.

કોરોના મહામારીના આ યુગમાં પણ ભારતના અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ 3 હજાર 608 કરોડ રૂપિયાનો વધારો થયો છે.રિપોર્ટ અનુસાર, 2021માં ભારતના પાંચ ટકા લોકો પાસે દેશની કુલ સંપત્તિના 62 ટકા પર કબજો હતો.

ઓક્સફેમના આ રિપોર્ટ મુજબ- ‘સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટઃ ધ ઈન્ડિયા સ્ટોરી’, જ્યાં 2020માં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 102 હતી, 2022માં આ આંકડો 166 પર પહોંચી ગયો છે.