દિલ્હી – કોરોનને પહોંચી વળવા કોરોનાની વેક્સિનનો મહત્વનો ફાળો રહ્યો હતો ત્યારે હવે આ વેક્સિન બનાવનાર મહાન વ્યક્તિ સેરસ પુનાવાલાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જાણકારી મુજબ તેમણે હાર્ટ એટેક આવ્યો છે .
પ્રાપ્ત વિગત પ્રમાણે દેશની સૌથી મોટી રસી બનાવતી કંપની, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સાયરસ એસ. પૂનાવાલાને હાર્ટ એટેક આવતા આ સમાચાર વાયુવેગ પ્રસરી ગયા છે. હળવા હાર્ટ એટેકના લક્ષણો દર્શાવ્યા બાદ પૂનાવાલાને 17 નવેમ્બરની સવારે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વધુ માહિતી પ્રમાણે પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પરવેઝ ગ્રાન્ટના નિર્દેશનમાં કરવામાં આવી હતી, જેમાં ડૉ. માકલે અને ડૉ. અભિજિત ખર્ડેકર સામેલ હતા. સર્જરી સંપૂર્ણ સફળ રહી હતી અને સાયરસ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પૂનાવાલાની હાલત સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં આઈસીયુ માં રહવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સાયરસ પૂનાવાલા પણ દેશના ટોપ 10 ધનિક લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં 10મા ક્રમે હતા. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. જેણે કોરોનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી