Site icon Revoi.in

દિલ્હી એક્સાઇઝ કેસ: CBI તિહાર જેલમાં BRS નેતા કે કવિતાની પૂછપરછ કરશે

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, CBIને કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં જેલમાં બંધ BRS નેતા કે કવિતાનું નિવેદન નોંધવા અને પૂછપરછ કરવાની મંજૂરી આપી. સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવા માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી પર આ આદેશ આપવામાં આવ્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 15 મી માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે તિહાર જેલમાં બંધ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં લીકર પોલીસી પ્રકરણમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં તાજેતરમાં જ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરી હતી. ઈડીએ તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન રિમાન્ડ પુરા થતા ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. અદાલતે અરવિંદ કેજરિવાલને જ્યુડિશલ કસ્ટડીમાં મોકલી આપવા નિર્દેશ કર્યો હતો. આ કેસમાં અગાઉ તપાસનીશ એજન્સીએ સંજ્યસિંહ, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને કે.કવિતાની ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન તાજેતરમાં જ જામીન ઉપર મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજ્ય સિંહને દિલ્હી આબકારી નીતિ મામલામાં ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભાજપાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને ફસાવવા માટે સમગ્ર કાવતરુ ઘડ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિ છે મંગૂટા રેડ્ડી, જેણે 3 વાર નિવેદન આપ્યું છે. તેમનો દીકરો રાઘવ મંગૂટાએ સાત વાર નિવેદન આપ્યું છે. 16મી સપ્ટેમ્બરના રોજ મંગૂટાની પ્રથમવાર ઈડીએ પૂછપરછ કરી હતી. તેમજ પૂછ્યું હતું કે, શું તેઓ અરવિંદ કેજરિવાલને ઓળખે છે, તેમણે સત્ય કહ્યું કે, કેજરિવાલ સાથે મુલાકાત કરી છે, પરંતુ ચેરિટેબર ટ્રસ્ટની જમીન મામલેસ, પરંતુ તમના દીકરાની ધરપકડ કરાયા બાદ પાંચ મહિના જેલમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ તેમણે પોતાનું નિવેદન બદલ્યું હતું.