Site icon Revoi.in

બિન વાગતા સાથે જ સાચ્ચે જ નાચવા લાગે છે સાપ? જાણો તેના પાછળ કેટલી હકીકત છે

Social Share

વિશ્વભરમાં સાપની હજારો પ્રજાતિઓ જોવા મળે છે. સાપની ઘણી પ્રજાતિઓ ઝેરી પણ હોય છે અને કેટલીક એવી પણ હોય છે જેમાં ઝેર હોતું નથી. વિશ્વના લગભગ દરેક દેશમાં સાપ જોવા મળે છે. પરંતુ તેમ છતાં મોટા ભાગના લોકો તેમને જોઈને ડરી જાય છે. સાપને લઈને ભારતની પોતાની વિશેષ ધાર્મિક માન્યતાઓ પણ છે. સનાતન ધર્મમાં સાપનું વિશેષ મહત્વ છે. સાપ એ હિંદુઓના દેવ ભગવાન શંકરના ગળાનું આભૂષણ છે. સાપ વિશે ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. આજે આપણે સાપ સાથે જોડાયેલી એવી જ એક હકીકત વિશે જાણીશું. કહેવાય છે કે બીનની ધૂન સાંભળીને સાપ નાચવા લાગે છે. ચાલો જાણીએ તેમાં કેટલું સત્ય છૂપાયેલું છે

કહેવાય છે કે સાપને બીનની ધૂન બહુ ગમે છે, પણ સાપ સાવ બહેરો હોય છે. હા, સાપ કોઈ અવાજ સાંભળી શકતો નથી. સાપને જોઈને તમે જોયું હશે કે સાપના શરીર પર કોઈ કાન નથી. વાસ્તવમાં સાપ કદી બીનના સૂરમાં નાચતો નથી, પરંતુ જ્યારે સાપ વગાડતી વખતે બીનને હલાવે છે. સાપ તેને જોઈને તેના શરીરને હલાવી દે છે જે સામાન્ય ઘટના છે.

શું તમે ક્યારેય જોયું છે કે સપેરાના બિન પર કેટલાક ટૂકડા મૂકવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે તે કાચના ટુકડા પર સૂર્યપ્રકાશ અથવા કોઈપણ પ્રકાશ પડે છે, ત્યારે તેમાંથી નીકળતી ચમકને કારણે સાપ હલનચલનની ક્રિયામાં આવે છે.

હવે આવી સ્થિતિમાં, જ્યારે સાપેરા તેની બીન વગાડતા વખતે તેને ગોળગોળ ફેરવીને હલાવે છે ત્યારે સાપનું ધ્યાન તે પ્રકાશ તરફ જાય છે. સાપ તે પ્રકાશને અનુસરે છે અને જ્યાં પ્રકાશનું તેજ જાય છે ત્યાં સાપ પણ તે દિશામાં આગળ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, આપણને લાગે છે કે સાપ બીનના સૂરમાં નાચી રહ્યો છે, જ્યારે એવું ખરેખર હોતું જ નથી

ખરેખરમાં સાપ તેમની ચામડીનો ઉપયોગ કાનની જગ્યાએ કોઈપણ હિલચાલને સમજવા માટે કરે છે. સાપ તેમની ત્વચા પર પડતા તરંગો દ્વારા તેમની આસપાસ થતી કોઈપણ હિલચાલને શોધી કાઢે છે. આવી સ્થિતિમાં, જ્યારે સાપને કોઈ ખતરો લાગે છે, ત્યારે તેઓ પોતાની ફેણ ફેલાવે છે. જ્યારે કોઈ સાપને છેડે છે, ત્યારે તેને તેની ત્વચા પરથી તેનો ખ્યાલ આવે છે.