Site icon Revoi.in

કેરળમાં બર્ડફ્લૂની એન્ટ્રી, સરકારી પોલ્ટ્રી ફાર્મમાં 1500થી વધુ મરઘીઓના મોત

Social Share

કોઝિકોડીઃ- દેશમાં ફરી એક વખત બર્ડફ્લૂએ દસ્તક આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળમાં હજારો મરઘીઓના બર્ડફ્લૂના કારણે મોત નિપજ્યા છે. ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં બર્ડ ફ્લૂના પ્રસારને કારણે મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે. આ મામલો કોઝિકોડમાં સરકારી મરઘાં ઉછેર કેન્દ્રનો છે.

જાણકારી અનુસાર અહીં બર્ડ ફ્લૂના ચેપને કારણે એક દિવસમાં 1,800 મરઘીઓના મોત થયા છે. આ અંગે વધુ માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂ વાયરસના H5N1ની હાજરી મળી આવી છે. આ મરઘાં કેન્દ્રની કામગીરી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે.