Site icon Revoi.in

 વિદેશ મંત્રી એસ જયશંકરે એસ્ટોનિયાના સમકક્ષ ઈવા મારિયા લીમેટ્સ સાથે મુલાકાત કરી,અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા

Social Share

દિલ્હી :વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી અને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી. જયશંકરે ટ્વિટ કર્યું, “યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને મળીને આનંદ થયો. ગઈકાલે યોજાયેલી સુરક્ષા પરિષદની બેઠકમાં ચર્ચા બાદ અમારી વાતચીત અફઘાનિસ્તાન પર કેન્દ્રિત હતી.

ભારત ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રમુખ છે. તેને જોતા, જયશંકર આ અઠવાડિયે સુરક્ષા પરિષદના બે મહત્વના ઉચ્ચ-સ્તરના કાર્યક્રમોની અધ્યક્ષતા માટે સોમવારે ન્યૂયોર્ક આવ્યા છે. કાબુલ પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે વિદેશ મંત્રી જયશંકર અને યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને સોમવારે ફોન પર વાતચીત કરી હતી, જે દરમિયાન જયશંકરે કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, જયશંકર અને બ્લિંકને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે એસ્ટોનિયાના સમકક્ષ ઇવા મારિયા લીમેટ્સ સાથે મુલાકાત કરી અને અફઘાનિસ્તાનના વિકાસ પર મંતવ્યોની આપલે કરી. જયશંકર અને લીમેટ્સે સમુદ્રી અને સાયબર સુરક્ષા અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર સાથે કામ કરવાની પણ ચર્ચા કરી. મુલાકાત બાદ વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, “એસ્ટોનિયાના એફએમ Liimets ને મળીને આનંદ થયો. અમે, યુએનએસસીના સભ્યો તરીકે, દરિયાઇ અને સાયબર સુરક્ષા અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર સાથે કામ કરવાની ચર્ચા કરી.

અફઘાનિસ્તાનના વિકાસ પર મંતવ્યોની આપલે કરી. જયશંકર ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્ર શાંતિ સ્થાપના અને આતંકવાદ પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરશે. યુએનનો પહેલો કાર્યક્રમ 18 ઓગસ્ટ 2021 એટલે કે આજે યોજાશે. કાર્યક્રમ દરમિયાન ‘સંરક્ષકોની રક્ષા:પ્રોદ્યોગિક અને શાંતિ વ્યવસ્થા’ પર ખુલ્લી ચર્ચા થશે. બીજો કાર્યક્રમ 19 ઓગસ્ટ 2021 ના ​​રોજ ‘આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરાઓ’ પર ઉચ્ચ સ્તરીય બ્રીફિંગ હશે.