Site icon Revoi.in

અમદાવાદ-ધોળકા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત

Social Share

અમદાવાદઃ ધોળકા હાઈવે ઉપર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ શ્રમજીવીઓના કરુણ મોત થયાં હતા. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા હાઈવે પર વહેલી સવારે રોડની સાઈડમાં એક કાર ઉભી હતી. તેમાં દાહોદના કેટલાક શ્રમજીવીઓ સવાર હતા. દરમિયાન પૂરઝડપથી આવેલા ડમ્પરે કારને અડફેટે લીધી હતી. જેના પરિણામે કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. કારમાં સવાર દાહોદના શ્રીમજીવીઓ કામ અર્થે રાણપુર જઈ રહ્યાં હતા. દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.

આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓની ઓળખ મેળવા માટે કવાયત શરૂ કરી હતી.

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી.