Site icon Revoi.in

હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રી એ ‘ટોમ્બ ઑફ સેન્ડ’ માટે 2022નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીત્યું- આ પ્રાઈઝ જીતનાર પહેલીભારતીય બની

Social Share

દિલ્હીઃ- ગીતાંજલિ શ્રી ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર પ્રથમ ભારતીય લેખિકા બની છે. તેમને આ એવોર્ડ નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’ માટે મળ્યો હતો. એવોર્ડ મેળવ્યા બાદ ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે “મેં ક્યારેય બુકરનું સપનું જોયું ન હતું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એવોર્ડ જીતી શકીશ.”

પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનાર ‘ટોમ્બ ઓફ સેન્ડ’ કોઈપણ ભારતીય ભાષામાં પ્રથમ પુસ્તક બની ગયું છે. તેમના આ પુસ્તકનો અનુવાદ ડેઝી રોકવેલ દ્વારા કરવામાં આવ્યો છે. 50 હજાર પાઉન્ડના ઈનામ માટે પસંદ થયેલું તે પ્રથમ હિન્દી ભાષાનું પુસ્તક છે. તે વિશ્વના 13 પુસ્તકો પૈકીનું એક હતું જેને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા ‘ટોમ્બ ઑફ સેન્ડ’ને ગયા મહિને ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ માટે ‘શોર્ટલિસ્ટ’ કરવામાં આવી હતી. તે જ સમયે, ગીતાંજલિ શ્રીનું આ પુસ્તક મૂળ હિન્દીમાં ‘રેત સમાધિ’ તરીકે પ્રકાશિત થયું હતું.  જ્યુરી સભ્યોએ તેને ‘અદભૂત અને અકાટ્ય’ ગણાવ્યું હતું.

કોણ છે ગીતાજંલી શ્રી જાણો

ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તર પ્રદેશના મૈનપુરીના છે. ગીતાંજલિ શ્રીએ ત્રણ નવલકથાઓ અને અનેક વાર્તાસંગ્રહો લખ્યા છે. તેમની કૃતિઓ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન અને કોરિયન ભાષાઓમાં અનુવાદિત થઈ છે. જ્યારે ગીતાંજલિ શ્રી હાલ દિલ્હીમાં રહે છે અને તેમની ઉંમર 64 વર્ષની છે. તેમના અનુવાદક, ડેઝી રોકવેલ, અમેરિકામાં રહેતા ચિત્રકાર અને લેખક છે. તેમણે હિન્દી અને ઉર્દૂમાં ઘણી સાહિત્યિક કૃતિઓનો અનુવાદ કર્યો છે.