Site icon Revoi.in

ભારતના લોકોના ખોરાકમાં દેશી થાળીમાંથી તૂવેળની  દાળ હવે  લૂપ્ત થતી જોવા મળી રહી છે

Social Share

સામાન્ય રીતે આહાર પોષક તત્વોથી ભરપુર હોવો જોઈએ, જેમાં ભારતના લોકોના ખોરાકમાં ખાસ દાળનો ઉપયોગ થતો હોય છે, દાળ અનેક રીતે પોષણયુક્ત આહાર છે, ભારતના ખેડૂત દુનિયામાં સૌથી વધુ દાળની ખેતી કરે છે,ઓછી આવક અને દાળના ઉંચા વધતા ભાવને કારણે લોકો દાળ ખાતા ઓછા થઈ રહેલા જોવા મળે છે.

આજે જોવા જઈએ ભારતીયોની થાળીમાંથી પોષણયુકત દાળ ગાયબ થઈ રહેલી જોવા મળે છે. દાળ અને અનાજ સંઘની અંતિમ ઉપલબ્ધ રિપોર્ટમાં એ બાબત દર્શાવવામાં આવી છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં દાળનાં વપરાશમાં ઘટાડો નોંધાયો છે.

કૃષિ અર્થશાસ્ત્રીઓનું આ સમગ્ર બાબતે કહેવું છે કે, આવકમાં અપેક્ષાનાં પ્રમાણમાં ઓછા વધારાનાં કારણે સરેરાશ એક ભારતીય દરરોજ દાળ ખાવાનો ખર્ચ કરવા માટે સક્ષમ નથી, જયારે ભારતનો ખેડુત દુનિયામાં સૌથી વધુ દાળ નું વાવેતર કરવામાં આગળ છે આમ છતા દરેક ભારતીયને તેની જરૂરતના પ્રમાણમાં દાળ મેળવી શકતા નથી.

સામાન્ય રીતે દાળના પ્રમાણની વાત કરીએ તો દરેક પિખ્ત વ્યક્તિએ 60 ગ્રામ દાળનુ સેવન કરવુ જોઈએ. ફર્મ સ્ટેટિસ્ટા પ્રમાણે વર્ષ 2019 માં દેશમાં દરરોજ દર વ્યકિતએ 48 ગ્રામ જ દાળ ઉપલબ્ધ થઈ છે.આ મામલે વધતી વસ્તીના કારણેદાળની માંગમાં પણ વધારો નોંધાયો છે તેના માટે દાળની આયાત કરવી પડે છે.

વર્ષ 2017 થી દાળની આયાત ધટી છે.સ્ટેટીસ્ટા પ્રમાણે વર્ષ 2017 માં 285.2 અબજ રૂપિયાની દાળ બહારથી મંગાવાઈ હતી. 2018 માં 187.5 અબજ, 2019 માં 80.35 અબજ અને 2020 માં 102.31 અબજ રૂપિયાની દાળ મગાવાઈ હતી.

દેશમાં દાળનુ ઉત્પાદન વર્ષ 2002 થી 2020 દરમ્યાન સતત વધ્યું છે.જેથી આશા રાખી શકાય છે કે આવનારા દિવસોમાં ભારતીયોને પર્યાપ્ત દાળ મળશે.દાળનું ઉત્પાદન જોઈએ તો વર્ષ 2002 માં 1.33 કરોડ મેટ્રીક ટન વર્ષ 2010 માં 1.46 કરોડ, 2015 માં 1.71 કરોડ, અને 2020 માં 2.30 કરોડ મેટ્રીક ટન ઉત્પાદન હતું.

ભારત સૌથી મોટો દાળ ઉત્પાદક, દાળ ગ્રાહક અને દાળ આયાત કરનારો દેશ છે. અહીં દાળને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. બહુ મોટી વસ્તીની દાળની મોટી માંગ હોવાથી તેનો પુરવઠો પુરતો ન હોવાથી દાળનું મૂલ્ય વધારે અંકાઈ રહેતું હોય છે