Site icon Revoi.in

આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના પરિચીતો ઉપર દરોડા

Social Share

મુંબઈઃ આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના નજીકના સાથીદારો સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. આયકર વિભાગની તપાસ  સવારે રાહુલ કનાલ, શિવસેનાના સભ્ય સદાનંદ કદમ અને નાયબ પ્રાદેશિક પરિવહન અધિકારી બજરંગ ખરમાટેના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મુંબઈ અને પુણેમાં ત્રણેય સાથે જોડાયેલા 12 સ્થળો પર સર્ચ કર્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ કનાલ શિવસેનાના યુવા નેતા અને મહારાષ્ટ્રના પ્રવાસ મંત્રી આદિત્ય ઠાકરેના મિત્ર હોવાનું કહેવાય છે, જ્યારે સદાનંદ કદમ શિવસેનાના નેતા રામદાસ કદમના ભાઈ અને શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબના બિઝનેસ પાર્ટનર છે. બજરંગ ખરમાટે અનિલ પરબના નજીકના હોવાનું પણ કહેવાય છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ખરમાટેની અગાઉ પૂછપરછ કરી હતી. મહારાષ્ટ્રના ગૃહ અને પરિવહન વિભાગમાં ટ્રાન્સફર પોસ્ટિંગના મુદ્દાની તપાસના સંદર્ભમાં ED દ્વારા ખરમાટેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આદિત્ય ઠાકરેના જણાવ્યા અનુસાર  “ભૂતકાળમાં પણ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, તે બંગાળ, આંધ્રપ્રદેશમાં થયું અને હવે તે મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યું છે. કેન્દ્રીય એજન્સીઓ એક રીતે ભાજપની જ પ્રચાર મશીનરી મશીનરી બની ગઈ છે પરંતુ,. મહારાષ્ટ્ર ઝુકશે નહીં.”