Site icon Revoi.in

આજે ભારત બંધ – મોંધવારી, જીએસટી અને વધતા ઈંધણના ભાવને લઈને વેપારી સંગઠનોની હડતાળ

Social Share

દિલ્હી – સમગ્ર દેશભરમાં જીએસચી અને વધતી મોઁધવારીના ભાવને લઈને અનેક વેપારી સંગઠનો મળીને અંદાજે 8 કરોડ લોકો દ્વારા આજે ભારતબંધની ઘઓષણા કરાઈ છે અને  હડતાળ પર ઉતર્યા છે,હાલ એક બાજુ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તો આજે બીજી તરફ ભારતબંધ થકી વેપારીઓ હડતાળ પર જોવા મળી રહ્યા છે.

આ હડતાળ ખાસ કરીને  જીએસટી વ્યવસ્થાને સીઘી અને સરળ બનાવવાની માંગ  સાથે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ આજરોજ એટલે કે  ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધની અપીલ કરી હતી .

આ વાતને અનેક સંગઠનો દ્વારા સમર્થન મળ્યું છે, સાથે જ સડક પરિવહનની ઉચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલેફેર એસોસિએશનએ પણ સીએઅઆઇટીના આ સમર્થનમાં ૨૬ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામની જાહેરાત કરી હતી. જેને લઈને આજ રોજ દેશભરમાં તમામા વેપાર ઘંઘા બંધ રહેશે મોટા પાયે આ હડતાળની અસર જોવા મળશે.

આજ રોજ ભારત બંધ કરીલ હડતાળ કરવાનું સંગઠનોનું મુખ્ય કારણ સતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ઇ-વેલ બિલ અને જીએસટીના અધરા માળખાગતનો વિરોધને દર્શાવવામાં આવ્યું છે.આજ રોજ સમગ્ર દેશમાંથઈ 40 હદાર જેટલા નાનાથઈ લઈને મોટા વેપારી સંગઠનો આ ભારત બંધમાં જોડાયા છે.

આભારત બંધના સમર્થનમાં દેશના આઠ કરોડથી વધારે વેપારીઓ એમ ભાગ લીધો છે. જેમાં આજ રોજ સવારે ૬ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચક્કા જામ રહેશે.ઘણી જનતાને મુશ્કેલીનો સામના કરવો પડશે,આ સાથે જ ૧૫૦૦ સ્થળોએ ધરણા કરવામાં આવશે

સાહિન-