Site icon Revoi.in

ટોરન્ટોમાં ભારત દિવસની ઉજવણી કરાઈ

Social Share

નવી દિલ્હીઃ ટોરોન્ટોમાં યોજાયેલી પીડીએસી -2023 કોન્ફરન્સમાં મંગળવારે ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિવેક ભારદ્વાજ, સેક્રેટરી, ખાણ મંત્રાલય, મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતના કોન્સ્યુલ જનરલ, ટોરોન્ટો, કેનેડા અને કોલસા મંત્રાલય અને સીઆઈઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સંભવિત રોકાણકારો, ખાણકામ નિષ્ણાતો અને ખનિજ સંશોધકો સામેલ રહ્યા. આ પ્રસંગે, ભારતીય અધિકારીઓએ ભારતમાં ખાણકામની તકો પ્રદર્શિત કરી, જેના પછી પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. ખાણ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો સાથે વાત કરી હતી. ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય જાડા ધાનની પહેલના ભાગ રૂપે, ભારતમાંથી લાવવામાં આવેલી મીઠાઇઓ અને જાડા ધાનના ઉત્પાદનોનું વિતરણ કરીને એક નાનો હોળી સમારોહ યોજાયો હતો અને આ સાથે પ્રોગ્રામ સમાપ્ત થયો.