Site icon Revoi.in

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 227 રને પરાજય

Social Share

દિલ્હીઃ ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે રમાઈ હતી. ટેસ્ટ મેચના અંતિમ દિવસે 420 રનનો પીછો કરવા ઉતરીકે ભારતીય 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 72 રન કરીને મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના બોલરો સામે ભારતીય બેસ્ટમેન લાંબી બેટીંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. વિરાટ કોહલી ઉપરાંત શુભમન ગિલે 50 રન ફટકાર્યાં હતા. આમ ભારતીય ટીમને ચેન્નાઈમાં 22 વર્ષ બાદ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 420 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે, વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને વોશિંગટન સુંદર ખાલુ ખોલ્યા વગર પેવેલીયન ફર્યાં હતા. જ્યારે પૂજારા અને પંતે સસ્તામાં આઉટ થઈ જતા ભારત ઉપર હારનું સંકટ ઉભુ થયું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને શુભમન ગીલે મેચ બચાવવાના પ્રયાસ કર્યાં હતા. જો કે, ઈંગ્લેન્ડના બોલરોની સામે ભારતીય ટીમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે 192 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડની ટીમના જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3 વિકેટ લીધી હતી.

ભારત ચેન્નાઈમાં છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી. જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત સાબિત થઈ છે. આ પહેલા તેમણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.