1. Home
  2. Tag "india"

ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છેઃ ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે. નવી દિલ્હીમાં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નથી, ત્યારે ભારત એક અગ્રણી […]

ગ્લોબલ સાઉથમાં ભારતનું રાજદ્વારી અને વ્યૂહાત્મક પ્રભુત્વ વધશે

PM મોદીએ 8 દિવસમાં પાંચ દેશોની મુલાકાત લઈને ભારતને ખૂબ જ ખાસ સ્થાને પહોંચાડ્યું છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, બ્રિક્સ તેમજ નામિબિયા, બ્રાઝિલ, ત્રિનિદાદ અને ટોબેગો, ઘાના અને આર્જેન્ટિના જેવા દેશોમાં 140 કરોડ ભારતીયોનો અવાજ સંભળાયો. એક તરફ પશ્ચિમ એશિયા અને પૂર્વી યુરોપ યુદ્ધની ગરમીમાં સળગી રહ્યા છે, તો બીજી તરફ કેરેબિયન દેશો, લેટિન અમેરિકા અને […]

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો : CDS

નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે. ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ […]

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

ભારત, બાકીના વિશ્વ સાથે, પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD) ના કંટ્રોલર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઓપરેશનમાં પ્રદર્શિત બહાદુરી અને સ્વદેશી સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધુ વધારો થયો છે. તેમણે કહ્યું કે દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્રને નવા આદરથી જોઈ રહી છે. પોતાના સંબોધનમાં, રાજનાથ સિંહે સશસ્ત્ર […]

નરેન્દ્ર મોદીએ 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 17મી બ્રિક્સ સમિટમાં ભારતના આગામી અધ્યક્ષપદ માટેનો રોડમેપ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે ભારત આવતા વર્ષે ‘માનવતા પહેલા’ના અભિગમ સાથે બ્રિક્સને નવા સ્વરૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરશે. આબોહવા પરિવર્તન અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ ભારતની પ્રાથમિકતા રહેશે. રિયો ડી જાનેરોમાં 17મી બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ, […]

સાયબરપીસ ઇન્ડેક્સ ભારત માટે કેમ મહત્વપૂર્ણ ?

જ્યારે સાયબર ધમકીઓ દરરોજ વધુ વ્યાપક અને જટિલ બની રહી છે, રેન્સમવેર અને ડેટા ચોરીથી લઈને ખોટી માહિતીના ઝડપી ફેલાવા અને ડીપફેક જેવા નવા પડકારો સુધી, વિશ્વભરમાં દેશોની ડિજિટલ તૈયારીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી પ્રવર્તમાન વૈશ્વિક સૂચકાંકોએ મોટાભાગના દેશોની સાયબર ક્ષમતા, તૈયારી મૂલ્યાંકન અને આતંકવાદ જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત […]

મહાઠગ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવાની તૈયારીઓ શરૂ

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલા નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ ભારત સરકારને માહિતી આપી છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની શુક્રવારે (4 જુલાઈ, 2025) અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતની બે મુખ્ય એજન્સીઓ, ED અને CBI દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતીના […]

ભારત તેના ભાગીદારો સાથે ગ્લોબલ સાઉથને વૈશ્વિક મંચ પર યોગ્ય સ્થાન આપશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે પોર્ટ ઓફ સ્પેનના પ્રતિષ્ઠિત રેડ હાઉસ ખાતે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. વાટાઘાટો બાદ, બંને દેશોએ માળખાગત સુવિધાઓ અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે છ કરારો પર હસ્તાક્ષર કર્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો આર્થિક સંબંધોને […]

ભારતના દિલ્હી અને મુંબઈના આ વિસ્તારોમાં મકાન ખરીદવુ પણ સમાન્ય વ્યક્તિ માટે સ્વપ્ન સમાન

આજકાલ, સામાન્ય જગ્યાએ ઘર ખરીદવું પણ ખૂબ મોંઘુ થઈ ગયું છે. એક સામાન્ય માણસ પોતાના આખા જીવનની કમાણી ઘર ખરીદવા માટે ખર્ચ કરે છે. ભારતમાં કેટલાક રહેણાંક વિસ્તારો છે જ્યાં પગારદાર વ્યક્તિ પોતાનું આખું જીવન કમાયા પછી પણ ઘર ખરીદી શકતો નથી, ભલે તે વ્યક્તિનો પગાર ખૂબ સારો હોય. આ રહેણાંક વિસ્તારોમાં ઘરો આટલા મોંઘા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code