Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીર: સુરક્ષા દળોએ આ રીતે આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું

Social Share

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આંતકવાદીઓના ઈરાદાઓ પર પાણી ફેરવ્યું છે. હકીકતમાં શ્રીનગર બારામુલા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક શંકાસ્પદ આઇઇડી નો જથ્થો મળી આવ્યો હતો જેને સુરક્ષા દળોએ નિષ્ક્રિય કર્યો છે. આ રીતે સુરક્ષાદળોએ આતંકી ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શ્રીનગર બારામુલ્લા રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક મોટી જાનહાનિ ટળી છે. એક પેટ્રોલ પંપની બાજુમાં 29 RRની ROP ને શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જેને સુરક્ષા દળોએ નિષ્ક્રિય કરી છે.

નોંધનીય છે કે અત્યારે ગુપ્તચર એજન્સીઓએ આતંકી હુમલાના ઇનપુટ આપ્યા છે ત્યારે આ ઘટના ચોંકાવનારી છે. તે ઉપરાંત 5 ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવામાં આવી તેની આ પહેલી વર્ષગાંઠ છે ત્યારે કેટલાક લોકો તેને બ્લેક ડે તરીકે ઉજવવાની ફિરાકમાં છે.